LOcal REporter

LOcal REporter Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from LOcal REporter, Surat.

27/05/2026

અમદાવાદ: પ્લેન ક્રેશ ના એટલા મહિના બાદ આરોગ્ય મંત્રી એ શું કહ્યું ?

*“મોભી ગુમાવ્યો… પણ પરિવાર તૂટ્યો નહીં : ‘સેવા સંગઠન’ બન્યું કાનાણી પરિવાર માટે સંકટના સમયે જીવતું આશ્રય”*સુરત,*સ્વ. અભય...
27/05/2026

*“મોભી ગુમાવ્યો… પણ પરિવાર તૂટ્યો નહીં : ‘સેવા સંગઠન’ બન્યું કાનાણી પરિવાર માટે સંકટના સમયે જીવતું આશ્રય”*

સુરત,

*સ્વ. અભયકુમાર કાનાણીના પરિવારને મળ્યો 'સેવા સંગઠન' અને મહેશભાઈ સવાણીનો હૂંફાળો સહારો: સ્વ. અભયકુમારના પત્નીને માસિક રૂ.૧૦,૦૦૦ ની સહાયની જવાબદારી “સેવા સંગઠન” દ્વારા અર્પણ કરાઈ*

માનવતા એ જ સાચો ધર્મ છે અને જ્યારે સમાજનો કોઈ પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે તેની આંગળી પકડવી એજ સાચી સેવાનો સંકલ્પ છે. પી.પી. સવાણી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત "સેવા સંગઠન" પરિવારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર પોતાના કાર્યોથી એક સાચો પરિવાર કહેવાય છે.

"સેવા સંગઠન" પરિવારના સભ્ય સ્વ. અભયકુમાર કાનાણીનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘરના મોભી ગુમાવવાનું અસહ્ય દુઃખ અને ભવિષ્યની ચિંતા વચ્ચે, આ કપરા સમયમાં સેવા સંગઠન પરિવાર આ શોકગ્રસ્ત પરિવારની વહારે આવ્યો છે.

સમાજસેવક અને સેવાના પ્રેરણામૂર્તિ શ્રી મહેશભાઈ સવાણીના માર્ગદર્શન હેઠળ, "સેવા સંગઠન" પરિવારે આ મુશ્કેલીના સમયમાં માત્ર સાંત્વના જ નથી આપી, પરંતુ પરિવારને ભવિષ્યમાં આર્થિક સુરક્ષિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે:

• સ્વાભિમાનથી જીવી શકે તેવા આશયથી સ્વ. અભયકુમાર કાનાણીના પત્નીને વિધવા સહાય પેટે દર મહિને રૂ.૧૦,૦૦૦ આર્થિક સહાય આપવામાં આવી રહીછે.

" એક પરિવારનો દીવો બુઝાયો, પરંતુ સેવાસંગઠન પરિવાર આખા ઘરને અંધકારમાં નહીં ઘેરાવા દેય, અને મુખ્ય સભ્યના ગેરહાજરી પછી " સેવા સંગઠન પરિવારે પુરવાર કરી બતાવ્યું છે, આપણો સેવાસંગઠનનો પણ પરિવાર હંમેશા તમારી સાથે છે

સર્વ સમાજને અપીલ: આ સેવાયજ્ઞમાં આપણે સૌ મળીને સાથે ભાગ લઈએ
આજના આ સમયમાં સુખમાં તો સૌ કોઈ સાથે ઉભા રહે અને દુઃખના સમયે જે પડખે ઊભો રહે એજ સાચો પરિવાર. "સેવા સંગઠન" એક એવો ભરોસો છે જ્યાં કોઈ પણ સભ્ય પોતાની જાતને ક્યારેય એકલી નહીં અનુભવે.

સેવા સંગઠન પરિવાર હંમેશા પોતાના સભ્યોની સાથે ઉભો રહે છે સંસ્થાની એ પરંપરા રહી છે કે પરિવારના કોઈ સભ્યનું અકાળે અવસાન થાય ત્યારે તેમના પરિવારના બાળકોનું ભવિષ્ય ધૂંધળું નહીં બને તે માટે સેવા સંગઠન પરિવાર બાળકોને ઉચ્ચ અભ્યાસ સુધી તમામ એજ્યુકેશન ખર્ચની જવાબદારી સ્વૈચ્છિક સ્વીકારી અને એના ચિંતામુક્ત બનીને બાળક અભ્યાસ કરી શકે એવો પ્રયત્ન હંમેશા સેવા સંગઠન પરિવાર કરે છે.

આજ કાર્યથી પ્રેરણા લઈને અમે સમાજના દરેક સંવેદનશીલ નાગરિકને હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ કે, કોઈ ગંગસ્વ. બહેનો લાચાર નહી બને અને એવા પરિવારના કોઈ બાળક એકલતા નહી અનુભવે એના માટે આવો... આપણે સૌ સાથે મળીને એક એવો મજબૂત “સેવા સંગઠન” સમાજ બનાવીએ.

તમે પણ આજે જ "સેવા સંગઠન" પરિવારમાં જોડાઓ અને કોઈકના જીવનનો આધાર બનવવા આપણે સૌ નમ્ર પ્રયત્ન કરીએ.

“આવો બનાવીએ એક પરિવાર સેવા સંગઠન” સંપર્ક- ૯૯૨૪૪-૨૭૨૪૪

સુરતના હીરાબાગ નો જોઈન્ટર બ્રિજ બની ગયો છત્તા મુહરત ની રાહ જોતા હજી શરૂ થયો નથીસુરતના સૌથી વ્યસ્ત અને સતત ટ્રાફિકથી ધમધમ...
27/05/2026

સુરતના હીરાબાગ નો જોઈન્ટર બ્રિજ બની ગયો છત્તા મુહરત ની રાહ જોતા હજી શરૂ થયો નથી

સુરતના સૌથી વ્યસ્ત અને સતત ટ્રાફિકથી ધમધમતા વરાછા વિસ્તારના વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર તો આવ્યા છે, પરંતુ તંત્રની ઉદાસીનતા અને નેતાઓના પ્રોટોકોલના કારણે જનતા હજુ પણ હાલાકી ભોગવી રહી છે. વરાછા હીરાબાગ જંક્શન પાસે વર્ષો જૂની રોજિંદી ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ લાવવા માટે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો એન્ટ્રી રેમ્પ સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જોકે, કામ પૂરું થયાના ૧૫ દિવસ બાદ પણ બ્રિજ ખુલ્લો ન મુકાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

​આ નવા ડબલ Y જંક્શન બ્રિજને કારણે વરાછા ઉપરાંત વેડ, અશ્વિનીકુમાર, ફુલપાડા અને કતારગામના અંદાજે 5 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકના ચક્કાજામમાંથી મુક્તિ મળશે. છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારના લોકો, ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને વેપારીઓ રોજ સવાર-સાંજ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જતા હતા. આ નવા રેમ્પના કારણે હવે વાહનચાલકો સીધા ફ્લાયઓવર પર ચઢી શકશે, જેથી નીચેના જંક્શન પરનો ટ્રાફિક 70% જેટલો ઘટી જશે અને ઈંધણ-સમય બંનેની મોટી બચત થશે.

બ્રિજ બનીને તૈયાર થઈ ગયો હોવા છતાં કોઈ મોટા નેતાના હસ્તે ઉદ્ઘાટનની તારીખ ન મળવાને કારણે તેને લોકાર્પિત કરવામાં આવી રહ્યો નથી. બીજી તરફ પાલિકાના અધિકારીઓ લોડ ટેસ્ટના રિપોર્ટ'નું બહાનુ કાઢીને પોતાની પીઠ બચાવી રહ્યા છે. એવી શક્યતા સેવાઈ રહી છે કે આગામી થોડા દિવસોમાં નવા મેયરના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાશે, પરંતુ ત્યાં સુધી જનતા ટ્રાફિકમાં પીસાવવા મજબૂર બની છે.

હીરાબાગ અને વરાછા વિસ્તાર સુરતનું આર્થિક ઝોન છે. રોજ હજારો રત્નકલાકારો આ રૂટથી પસાર થાય છે. સ્થાનિકોની સુરત મહાનગરપાલિકા પાસે એક જ માંગ છે કે નેતાઓના પ્રોટોકોલ અને તારીખની ચિંતા છોડીને આ બ્રિજને વહેલી તકે સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે જેથી રોજિંદી હેરાનગતિનો કાયમી અંત આવે.

27/05/2026

સુરત : હીરાબાગ નવો બ્રિજ તૈયાર

26/05/2026

સુરત: sog પોલીસે નાર્કોટેક્સ ના આરોપીઓની સ્પેશિયલ સર્વિસ કરી

26/05/2026

સુરત: સુરતની SOG પોલીસે ગેરકાયદેસર તલવાર રાખી આતંક ફેલાવનાર ની સરભરા કરી

ડિજીટલ જનગણના-૨૦૨૭ હેઠળ ‘સ્વ ગણતરી’ની પ્રક્રિયા અંગેની તબક્કાવાર માર્ગદર્શિકાસેલ્ફ એન્યુમરેશન પોર્ટલની મદદથી નાગરિકોના સ...
26/05/2026

ડિજીટલ જનગણના-૨૦૨૭ હેઠળ ‘સ્વ ગણતરી’ની પ્રક્રિયા અંગેની તબક્કાવાર માર્ગદર્શિકા

સેલ્ફ એન્યુમરેશન પોર્ટલની મદદથી નાગરિકોના સમયની બચત અને ભૂલરહિત માહિતીની નોંધણી

કોઈ પણ પ્રશ્ન માટે ટોલ ફ્રી નંબર-૧૮૫૫ પર ફોન કરી મેળવો જાણકારી

વસ્તી ગણતરીના કર્મચારીઓ દ્વારા ઘરની મુલાકાત વખતે માત્ર જનરેટ થયેલો રેફરન્સ નંબર જ બતાવવો

દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલી સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી-૨૦૨૭ હેઠળ ગુજરાતમાં તા.૧૭મેથી ‘સેલ્ફ એન્યુમરેશન’ની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પ્રક્રિયાને વધુ સરળ, સુરક્ષિત અને પેપરલેસ બનાવવા માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર કચેરી દ્વારા https://se.census.gov.in પોર્ટલ કાર્યરત કરાયું છે. જેના માધ્યમથી નાગરિકો હવે વસ્તી ગણતરીના કર્મચારીઓ દ્વારા કરાતી ઘર મુલાકાત વિના પણ સરળતાથી પોતાના અનુકૂળ સમયે ઘેર બેઠા જ પોતાના પરિવારની સચોટ માહિતી ઓનલાઈન સબમિટ કરી શકે છે.
ડિજિટલ વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: પ્રથમ તબક્કામાં મકાનોની યાદી (House Listing) અને બીજા તબક્કામાં વસ્તી ગણતરી (Population Enumeration) કરવામાં આવશે. ડિજીટલ સ્વ-ગણતરીની પ્રક્રિયામાં વધુમાં વધુ લોકો ભાગ લઇ શકે તે માટે સરકાર દ્વારા સત્તાવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ત્યારે સેલ્ફ એન્યુમેરેશન પોર્ટલ પર થતી ડાયરેક્ટ નોંધણીથી નાગરિકોનો સમય બચવાની સાથે ભૂલ રહિત ચોક્કસ માહિતી આપી શકાશે.

*સેલ્ફ એન્યુમેરેશન ફોર્મ ભરવાની સરળ પ્રક્રિયા:*
. . . . . . . . . . . . . . . .
નાગરિકો પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા નીચે દર્શાવેલા સરળ પગલાં અનુસરીને આ ફોર્મ ભરી શકે છે:
• પોર્ટલ પર લોગિન અને સાધનોની પસંદગી: નાગરિકોએ https://se.census.gov.in પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય પસંદ કરવાનું રહેશે.
• પરિવારનું રજીસ્ટ્રેશન: લોગ-ઈન થયા બાદ સ્ક્રીન પર ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં ઘરના વડા સહિત પરિવારના તમામ સભ્યોના નામ, ઉંમર, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ અને વ્યવસાય જેવી ડેમોગ્રાફિક વિગતો સચોટ રીતે ભરવાની રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે પરિવારના વડાનું નામ ખૂબ જ કાળજીપૂર્વક દાખલ કરવું, કારણ કે એકવાર સબમિટ થયા બાદ આ નામ બદલી શકાશે નહીં.
• મોબાઈલ નંબરની મર્યાદા: પરિવારના કોઈપણ એક સભ્યનો મોબાઈલ નંબર ઓટીપી(OTP) વેરિફિકેશન માટે આપવાનો રહેશે. એક મોબાઈલ નંબરનો ઉપયોગ માત્ર એક જ પરિવાર માટે થઈ શકશે. ભાષા અને મોબાઈલ નંબરની પસંદગી બાદમાં બદલી શકાશે નહીં.
• OTP વેરિફિકેશન: તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો વન-ટાઇમ પાસવર્ડ(OTP) દાખલ કરીને વેરિફિકેશન કરો અને આગળ વધો. (ખાતરી કરો કે મોબાઈલમાં પૂરતું નેટવર્ક હોય)
• નકશા પર ઘરનું લોકેશન ચિહ્નિત કરવું: પોર્ટલ પર ઉપલબ્ધ નકશામાં આપેલા લાલ માર્કરને ડ્રેગ(સરકાવી) કરીને નાગરિકોએ પોતાના રહેણાંક મકાનની સુવિધાઓ(જેમ કે પાણી, વીજળી, શૌચાલય વગેરે) દર્શાવી અને મકાનનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે, જેથી વેરિફિકેશન વખતે કર્મચારીઓને સરળતા રહે. તમે ડિજિટલ મેપ(નકશા) પર તમારા ઘરનું લોકેશન ચિહ્નિત કરો, ત્યારે સારી વિઝિબિલિટી(દ્રશ્યતા) માટે મોબાઈલના બદલે લેપટોપ અથવા ડેસ્કટોપ નો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
• ૧૧ અંકોનો વિશિષ્ટ SE ID: ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા બાદ અને ડેટાની સમીક્ષા કર્યા પછી નાગરિકોએ 'Final Submit' કરવાનું રહેશે. સફળ સબમિશન પછી સ્ક્રીન પર "H" અક્ષરથી શરૂ થતો ૧૧ અંકોનો એક વિશિષ્ટ 'SE ID' જનરેટ થશે, જે SMS અને ઈ-મેઈલ દ્વારા પણ મોકલવામાં આવશે. આ આઈડીને સુરક્ષિત નોંધી રાખવો અનિવાર્ય છે.

રૂબરૂ મુલાકાત વખતે વેરિફિકેશન જરૂરી જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર પ્રગણક (Enumerator) નાગરિકોના ઘરે રૂબરૂ મુલાકાતે આવશે, ત્યારે નાગરિકોએ ઓનલાઇન જનરેટ થયેલો આ 'SE ID' તેમની સાથે શેર કરવાનો રહેશે. જો આ આઈ.ડી પ્રગણકના મોબાઈલ ડેટા સાથે મેચ થઈ જશે, તો સ્વ-ગણતરીનો ડેટા સીધો સ્વીકારી લેવામાં આવશે. અને જો આઈ.ડી મેચ નહીં થાય, તો પ્રગણક દ્વારા તમામ માહિતી નવેસરથી એકત્રિત કરવામાં આવશે.
રાજ્યભરમાં તા.૩૧ મે સુધી થનારી સ્વ-ગણનામાં વધુમાં વધુ નાગરિકોને ભાગ લેવા અને દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીને સફળ બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. વધુમાં કોઈ પણ પ્રશ્ન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ ટોલ ફ્રી નં.-૧૮૫૫ પર ફોન કરી વધુ જાણકારી મેળવી શકાશે.

બારડોલી RTO કચેરી દ્વારા અરજદારોના હિતમાં મહત્વનો નિર્ણય: અસહ્ય ગરમીને પગલે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના સમયમાં આંશિક ફેરફા...
26/05/2026

બારડોલી RTO કચેરી દ્વારા અરજદારોના હિતમાં મહત્વનો નિર્ણય: અસહ્ય ગરમીને પગલે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના સમયમાં આંશિક ફેરફાર

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી બારડોલી દ્વારા હાલ ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીને કારણે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, બારડોલી દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના સમયમાં આંશિક ફેરફાર કરી અરજદારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.
પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા તા.૨૭/૦૪/૨૦૨૬થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી બદલાયેલો નવો સમય અમલમાં રહેશે. નવા ફેરફાર મુજબ, અરજદારે બુક કરેલ પ્રથમ ત્રણ ઓનલાઈન સ્લોટ્સ ૧૦.૩૦ થી ૧૧.૩૦, ૧૧.૩૦ થી ૧૨.૩૦ અને ૧૨.૩૦ થી ૦૧.૩૦નો બદલાયેલો સમય એક કલાક વહેલા એટલે કે અનુક્રમે સવારે ૦૯.૩૦ થી ૧૦.૩૦, ૧૦.૩૦ થી ૧૧.૩૦ અને ૧૧.૩૦ થી ૧૨.૩૦નો રહેશે. જ્યારે બપોર પછીનો અન્ય ઓનલાઈન સ્લોટ ૦૨.૦૦ થી ૦૩.૦૦નો બદલાયેલો સમય હવે બપોરે ૧૨.૩૦ થી ૦૧.૩૦નો કરવામાં આવ્યો છે.
આ સિવાયના બાકીના અન્ય ઓનલાઈન સ્લોટ્સ જેવા કે ૦૩.૦૦ થી ૦૪.૦૦, ૦૪.૦૦ થી ૦૫.૦૦ અને ૦૫.૦૦થી ૦૬.૦૦નો સમય અગાઉની જેમ જ અનુક્રમે ૦૩.૦૦થી ૦૪.૦૦, ૦૪.૦૦થી ૦૫.૦૦ અને ૦૫.૦૦થી ૦૬.૦૦ વાગ્યાનો યથાવત રહેશે.
આ સુધારેલો સમય માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા આવતા અરજદારોને જ લાગુ પડશે. આ સિવાય RTO કચેરી ખાતે ચાલતી અન્ય તમામ પ્રકારની વહીવટી કામગીરીઓ અને સેવાઓ અગાઉના નિયત સમય મુજબ જ યથાવત ચાલુ રહેશે. જેની તમામ જાહેર જનતા અને અરજદારોએ નોંધ લેવી એમ બારડોલી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જન ભાગીદારી અભિયાન-સૌથી દુર, સૌથી પહેલા: સુરત જિલ્લો--------સુરત જિલ્લાના મહુવા તેમજ અંબિકા તાલુકામાં જનભાગીદારી અભિયાનન...
26/05/2026

જન ભાગીદારી અભિયાન-સૌથી દુર, સૌથી પહેલા: સુરત જિલ્લો
--------
સુરત જિલ્લાના મહુવા તેમજ અંબિકા તાલુકામાં જનભાગીદારી અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ: પાંચ દિવસીય કેમ્પમાં મહુવાના ૧૯૯૮ અને અંબિકા તાલુકાના ૧૭૩૯ લાભાર્થીઓ લાભાન્વિત*
-------

કેન્દ્રના જન ભાગીદારી અભિયાન-સબસે દૂર, સબસે પાસ અભિયાન અંતર્ગત “સબસે દૂર, સબસે પહેલે”ના સૂત્ર સાથે અંતરિયાળ ગામોમાં ૧૦૦ ટકા સરકારી સેવાઓ પહોંચાડવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકાની મુડત પ્રા.શાળા ખાતે આદિજાતી સમુદાયના સર્વાંગી વિકાસ અર્થે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આજરોજ ડુંગરી, મુડત, અંધાત્રી, વાડિયા તેમજ શેખપુર ગામના કુલ ૪૯૨ લોકોને વિવિધ યોજનાકીય અને કલ્યાણકારી સેવા-યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
જ્યારે અંબિકા તાલુકાની લસણપોર પ્રા.શાળા ખાતે યોજાયેલા સેવા સેતુ કેમ્પમાં આજરોજ ગાંગકીયાં, કુમ્કોતર, તારકણી, અને લસણપોરના કુલ ૪૭૦ ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
જેમાં આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિસાન યોજના, ઉજ્વલ્લા, યોજના, પી.એમ જન ધન યોજના, જાતિનું પ્રમાણપત્ર, ડોમીસાઈલ સર્ટીફીકેટ, વન ધન યોજના ,વૃક્ષારોપણ, રાશન કાર્ડ, કિસાન ક્રેડીટ કાર્ડ યોજના, મનરેગા યોજના તેમજ મિશન ઇન્દ્રધનુષ સહિતની યોજનાઓનો લાભ આપવાની સાથે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખ્નીય છે કે, તા.૧૯ થી ૨૫ મેં દરમિયાન યોજાયેલા વિશેષ કેમ્પમાં મહુવા અને અંબિકા તાલુકાના દરેક આદિવાસી ગામોના ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘર આંગણે આપવામાં આવ્યો હતો. અને કેન્દ્ર સરકારના આ વિશેષ અભિયાનને પરિણામે પાંચ દિવસીય કેમ્પમાં મહુવાના કુલ ૧૯૯૮ તેમજ અંબિકા તાલુકાના ૧૭૩૯ લોકોએ વિવિધ યોજનાઓના લાભો મેળવ્યા હતા.
--૦૦--

26/05/2026

સુરત : સુરતમાં કોંગ્રેસે હલ્લાબોલ કાર્યક્રમ યોજી કલેકટરને આવેદન આપ્યું

કોંગ્રેસે કલેકટર કચેરીમાં હલ્લાબોલના સૂત્રો સાથે ગરબા કર્યા

દૂધ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ

મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

જિલ્લા કલેકટરને આવેદન આપી મોંઘવારીને લઈને કોંગ્રેસે રજૂઆત કરી

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીના કારણે હાલાકી પડી રહી છે

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when LOcal REporter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share