09/04/2026
*શ્રી ક.ક.પ.સમાજ સિંગરવા અમદાવાદ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ પાવન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.*
આપણા હિન્દુ સનાતન ધર્મ મા ધાર્મિક તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે. દરેક તહેવાર એક અલગ જ પ્રકારની પોઝિટિવ ઉર્જા આપણા સૌના દિલોમાં ફેલાવતો હોય છે. આવો જ એક ખૂબ જ સુંદર અને પાવન દિવસ એટલે *ચૈત્રિ સુદ પૂનમ એટલે શ્રી હનુમાન જન્મોત્સવ*.
તારીખ 02/04/2026 ને ગુરુવાર સાંજે 4:30 કલાકે શ્રી ક.ક.પ.સમાજ સિંગરવા ખાતે સૌ સમાજરૂપી પરિવારજનો સમાજના પ્રાંગણ માં એકઠા થયા. સૌ કોઈ પોતાના સ્થાન ગ્રહણ કરેલ. અંદાજે 4:45 કલાકે સમાજની માતૃ શક્તિ દ્વારા શ્રી રામ પરમ ભકત શ્રી હનુમાનજી સમક્ષ દીપ પ્રજવલિત કરી આજના પાવન તહેવાર ની શુભ શરૂઆત કરેલ. દીપ પ્રગટાવ્યા બાદ સૌ સમાજરૂપી પરિવારજનો એ સામુહિક 11 વખત હનુમાન ચાલીશા નો સુંદર મજાનો પાઠ કરેલ ત્યારબાદ 15 મિનિટ સુધી રામધૂન બોલાવેલ. રામધૂન બાદ ભજન કીર્તન કરેલ ત્યારબાદ શ્રી હનુમાન દાદા ની સૌ સમાજજનો એ વારાફરથી લક્ષ્મીનારાયણ સ્વરૂપે આરતી ઉતારેલ. આરતી ઉતાર્યા બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને ત્યારબાદ શ્રી હનુમાન દાદા નો જય જયકાર કરેલ.
આજના પાવન પર્વે સૌ સમાજજનો પોતાના ઘરેથી સુખડી નો પ્રસાદ બનાવીને લાવેલ જે આરતી ના દર્શન કરી પાવન થઈ ગ્રહણ કરેલ. આરતી અને પ્રસાદ લઈ સૌ સમાજજનો એ ધન્યતા અનુભવેલ.
અંદાજે 8 કલાકે સૌ સમાજરૂપી પરિવારજનોએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ. ભોજન પ્રસાદ બાદ સમાજની ત્રી માસિક મિટિંગ કરેલ જેની અંદર લવાજમ, સમાજની અંદર નવાજુની, આવેલ પત્રો નું વાંચન, હિસાબ કિતાબ ની નોંધ લીધેલ.
અંતમાં સૌ એ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ ની મજા માણી પોત પોતાના નિવાસ સ્થાન તરફ પ્રયાણ કરેલ.
*અહેવાલ:- પ્રિતેશ છાભૈયા*