28/10/2021
પુષ્યનક્ષત્ર
ગુરુ પુષ્યનક્ષત્ર ખરીદી માટે સ્વયં સિદ્ધ મુહૂર્ત ,શુકનવંતો અવસર અને સમૃદ્ધિકારક સંયોગ
આજે પુષ્યનક્ષત્ર ગુરૂવારે સવારે 9.45 કલાકથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે: સોનાના ઘરેણાં, જમીન-મકાન તેમજ જંગમ અને સ્થાવર મિલકતની ખરીદી માટે શ્રેષ્ઠ : ગુરુ પુષ્ય નક્ષત્ર 25 કલાક 57 મિનિટ રહેશે.
ગુરુવાર, 28 ઓક્ટોબરના રોજ આખો દિવસ અને રાત્રે પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ વખતે 677 વર્ષ પછી ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનો દુર્લભ યોગ બને છે.
મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં ફિક્કો માહોલ રહ્યો હતો. જોકે આ વર્ષે કોરોના કાબૂમાં આવ્યો છે અને સાથે નિયંત્રણો પણ હળવા કરી દેવાયા છે. જેને પગલે છેલ્લા એક અઠવાડિયાથી બજારમાં ખરીદીનો ધમધમાટ દેખાઇ રહ્યો છે. તેવામાં આગામી ગુરુવાર એટલે કે 28 ઓક્ટોબરે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ બની રહ્યો છે. દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓથી શુભફળ મળે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. માટે શનિવાર કે શનિ દેવાના સ્વામિત્વના નક્ષત્રમાં જે કામ કરવામાં આવે તે લાંબા સમય સુધી ચાલે છે.
આ વર્ષે ગુરુ અને શનિ મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને આ ગ્રહ પર ચંદ્રની નજર પણ રહેશે. તેનાથી ગજકેસરી યોગ પણ બનશે. ચંદ્ર ધનનો ગ્રહ છે અને આ યોગ દરેક પ્રકારે મંગળકારી રહેશે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ પણ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને આ પ્રકારે ગુરુ પુષ્યામૃત યોગ બન્યો હતો. આ યોગમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ લાંબા સમયે લાભ આપશે. જોકે કોઈની સલાહ લઈને જ રોકાણ કરવું. ગુરુ અને શનિ વચ્ચે કોઈ શત્રુતા પણ નથી. આથી ગુરુવારે આવતું પુષ્ય નક્ષત્ર શુભ માનવામાં આવે છે.
હિંદુ ધર્મ શસ્ત્રો અને પંચાંગ મુજબ 27નક્ષત્રોમાં 8મું પુષ્યનક્ષત્ર ગણાય છે. પુષ્ય એ નક્ષત્રોના રાજા કહેવાય છે. જ્યારે કેટલાક શાસ્ત્રોમાં શનિ તો કેટલાકમાં ગુરુ મહારાજને પુષ્ય નક્ષત્રના સ્વામી કહેવામાં આવ્યા છે. આમ બંને દ્રષ્ટિથી ગણીએ તો પુષ્યનક્ષત્ર એ શનિ મહારાજ અને ગુરુ મહારાજના આવરણમાં આવતું નક્ષત્ર છે. ત્યારે પુષ્ય નક્ષત્ર પર ખરીદીને સાથે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોએ નવા વસ્ત્ર, અનાજ, ચંપલ અને ધનનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ કે ગાયની દેખભાળ માટે ધન દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. શિવજીને બેસનના લાડુનો ભોગ ચઢાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવો..
ખરીદી કરવાના શુભ સમય
ગુરુવારે આસો વદ સાતમના રોજ સવારે 9.42 વાગ્યા સુધી પુનઃવર્સુ નક્ષત્ર છે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરુ થાય છે જે શુક્રવારે 29 ઓક્ટોબરે બપોરે 11.39 વાગ્યા સુધી રહેશે. જોકે અત્યંત શુકનવંતો ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ માત્ર ગુરુવારે જ બને છે માટે આ યોગ શુક્રવારે વહેલી સવારે 6.50 વાગ્યા સુધી જ રહેશે.આ દિવસે શુભ ચોઘડિયામાં ખરીદી કરવી જોઈએ ત્યારે આગામી 28 તારીખ અને ગુરુવારના દિવસે આગળ જણાવ્યા મુજબ શુભ ચોઘડિયા છે. ગુરુવારે બપોરે 12.22થી 1.48સુધી લાભ ચોઘડિયું, બપોરે 1.48થી 3.13 સુધી અમૃત અને સાંજે 4.39થી 6.05 સુધીના શુભ ચોઘડિયામાં ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ વર્ષે દિવાળી પહેલા ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સાથે જ સોના, ચાંદી અને ચોપડાની શુકનવંતી ખરીદી થઈ શકશે.
Bring prosperity & good luck to your life by buying jewelry from
on this auspicious day.
Happy Pushya Nakshatra