Sanjay gosai

Sanjay gosai School

11/05/2026
20/04/2025

મારો અનુભવ
અક્ષરધામ મંદિર માં mystic india મેં જ્યારે પ્રથમ વાર જોયેલું ત્યારે બાલયોગી ના સ્વરૂપ નું દ્રશ્ય જોયેલું ત્યારે ગદગદ થઈ ગયેલો એકદમ ભાવવિભોર, એક વૈરાગી સ્વરૂપ મરણતોલ યાત્રા અને પછી કૈલાશ ના દ્રશ્ય ઓમ નમઃ સિવાય નો થિયેટર મા મહાનાદ મહા ગુંજરાવ આહાહાહા... શુ દ્રશ્ય...નીલકંઠ નામના બાલયોગી ના ગળામાં શાલિગ્રામ, રોજ એની પૂજા નું વ્રત વિષ્ણુ અને શિવ માં અનન્ય ભક્તિ નું પ્રતીક બાલ વૈરાગી, પછી ઈચ્છા જાગી વધારે જાણવાની ત્યારે અમુક પુસ્તકો હાથ લાગ્યા મહામાયા ની કૃપાએ સત્ય દર્શન થાય એવા જ પુસ્તકો હાથ લાગ્યા અને એ વાંચતા જ બધું સાવ વીચિત્ર વિરોધાભાસી દેખાણું પહેલા મને થાતું આ સ્વામિનારાયણ વિષ્ણુ મંત્ર છે પણ જ્યારે ચોપડા જોયા તો વિષ્ણુ તો સેવામાં દેખાણા, તો આ નારાયણ શબ્દ નો અર્થ શું સમજવો, પછી થયું લાય શિક્ષાપત્રી બરોબર જોવા દે પણ ત્યાંતો બધું ઓકે દેખાણું શ્રીકૃષ્ણ એમના ઇષ્ટ, હરિ અને હર ની એકતા, પંચદેવોપાસના ની આજ્ઞા, શ્રી કૃષ્ણ ના જ ઠેર ઠેર મહિમા ના શબ્દો, ભારે કરી ભાઈ, પાછા બીજા પુસ્તકો હાથ માં લીધા સાલું સાવ અલગ, પંચદેવ માના એક સૂર્યનારાયણ પણ આમને હાથજોડે અને કહે,જયારે બોલાવશો આવીશ એમ કહે, આમના સાહિત્યો માં શિવની તો કોઈ મહત્તા જ નહીં બ્રહ્મા તો ખાલી હાથ જોડવામાં જ દેખાય, નારાયણ શબ્દ તો દેખાય પણ નારાયણ ક્યાંય સર્વોપરી ના રૂપ માં ના દેખાય, દેખાય તો સ્તુતિ કરતા, દર્શન કરતા કે સંતો ના મહિમામંડન માં અપમાનિત થતા, હવે સ્વયં નારાયણ હરિ વિષ્ણુ ની જ્યાં આમના શાસ્ત્રો માં આવી સ્થિતિ હોય ત્યાં અન્ય દેવિદેવતા નું તો શું જ પૂછવું

09/10/2024

દેશ નું રતન
દાનવીર
રતન ટાટા નું અવસાન😢

કોણે લખી હતી 'જય આદ્યાશક્તિ'ની આરતી? જાણો આરતીની કડીઓમાં રહેલાં અજાણ્યા રહસ્યો વિશેનવરાત્રીની હરેક પાવન રાત્રીની શરૂઆત મ...
03/10/2024

કોણે લખી હતી 'જય આદ્યાશક્તિ'ની આરતી? જાણો આરતીની કડીઓમાં રહેલાં અજાણ્યા રહસ્યો વિશે

નવરાત્રીની હરેક પાવન રાત્રીની શરૂઆત માતા અંબાની આરતી વગર તો થાય જ નહી. ગુજરાત સિવાય ભારતમાં અને દુનિયાના કોઈ પણ ખૂણે નવરાત્રીના ગરબાની શરૂઆત તો 'જય આદ્યાશક્તિ'ની આરતીથી જ થવાની. પણ મોટાભાગના લોકોને ખબર નથી કે આ આરતી લખી છે કોણે? જો કે, આરતીની છેલ્લી પંક્તિમાં એ વ્યક્તિનું નામ આવી જ જાય છે પણ છતાં આટલી પ્રખ્યાત આરતી લખનાર એ હતું કોણ એ વિશે થોડોક પણ ખ્યાલ હોવો જરૂરી ખરો કે નહી?

ભણે શિવાનંદ સ્વામી! -

નવદુર્ગાની, અંબાજીની કાલજયી આરતીના કર્તા છે: સુરતના શિવાનંદ સ્વામી! 'જય આદ્યાશક્તિ'ની છેલ્લી પંક્તિમાં એનો ઉલ્લેખ પણ છે: "ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુ:ખ હરશે.!" શિવાનંદ સ્વામીનો જન્મ ૧૬મી સદીના અંત ભાગમાં થયો હોવાનું માનવામાં આવે છે.

પિતાનું નામ હતું વાસુદેવ પંડ્યા. મૂળે તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ હતા.

૧૨ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા જતી રહી -

શિવાનંદ સ્વામીના કુળમાં વિદ્વતાની પરંપરા પૂર્વેથી જ ચાલી આવતી હતી. એમના દાદા હરિહર પણ મોટાગજાના વિદ્વાન હતા. તાપી નદીના કિનારે આવેલ 'રામનાથ ઘેલા' નામનું મહાદેવનું મંદિર આ કુટુંબનું કુળદેવતાનું સ્થાનક. નાનપણથી જ શિવાનંદ સ્વામીને મહાદેવમાં અનન્ય આસ્થા. ૧૨ વર્ષની કુમળી વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી. એ પછી તેઓ કાકા સદાશિવ સાથે રહેવા લાગ્યા. સદાશિવ પંડ્યાને પણ રામનાથ ઘેલા મહાદેવના આશિર્વાદથી જીભે સરસ્વતી પ્રાપ્ત થયાં હતાં. સંસ્કૃતગ્રંથો પર તેમનું પ્રભુત્ત્વ આશ્વર્યજનક હતું. ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં તેમની ગણતરી થતી.

કાકા! મને સરસ્વતી આપો -

સદાશિવ પંડ્યાની અંતઘડી નજીક આવી. એમણે પોતાના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને બોલાવીને લક્ષ્‍મી કે સરસ્વતી માંગવા કહ્યું. ઘરની સમૃધ્ધિ પણ એ વખતના સુરતની જાહોજહાલી જેવી જ હતી. પંડ્યાજીના બંને પુત્રોએ તો લક્ષ્‍મીજી માંગ્યા પણ શિવાનંદે સરસ્વતીજી માંગ્યા! એ દિવસથી શિવાનંદ સ્વામીની જીભે અને કલમે સરસ્વતી દેવીએ વાસ કર્યો. તેઓ મહાવિદ્વાન તરીકે પંકાયા.

આરતી તો શિવાનંદ સ્વામીની! -

શિવાનંદ સ્વામીની વિદ્વતા પંડિતોની સમાન ગણાવા માંડી. તેમણે અંબાજીની આરતી તો લખી જ પણ એ ઉપરાંત હિંડોળાનાં પદ, શિવસ્તુતિનાં પદ, વસંતપૂજા સહિત અનેક પ્રકારનું સાહિત્યસર્જન કર્યું. પંચાક્ષરી મંત્ર તેમને સદાશિવ પંડ્યા તરફથી મળ્યો હતો. આ મંત્રની સાધનાએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમણે ગણપતિ, હનુમાનજી, ભૈરવદાદા અને જ્યોતિર્લીંગની પણ આરતીઓ લખી.

કવિ નર્મદની સાથે આ હતો સબંધ -

નર્મદે 'કવિ ચરિત્ર' નામક એમના પુસ્તકમાં શિવાનંદ સ્વામીનો ઉલ્લેખ ગુજરાતી ભાષાના મહાન કવિ તરીકે કર્યો છે. ઉલ્લેખનીય છે, કે નર્મદના બીજા પત્ની ડાહીગૌરી શિવાનંદ સ્વામીના વંશજ હતાં! સ્વામીની છઠ્ઠી પેઢીએ થયેલ ત્રિપુરાનાદના તેઓ પુત્રી હતાં.

'સંવત સોળ સત્તાવન'નો અર્થ જાણો છો? -

કહેવાય છે, કે શિવાનંદ સ્વામી સાડા ત્રણ દાયકા સુધી નર્મદા-તાપીને કિનારે ભટક્યા હતા. માતાજીની આરાધના કરતા રહેલા. આખરે એક અંધારી રાતે, નર્મદાને કિનારે જગતજનની માં અંબાનાં તેમને દર્શન થયાં. આ ધન્ય ઘડી હતી. શિવાનંદ સ્વામીના જીવનની પરમ પળ કહી શકાય એવી ક્ષણને તે કેમ વિસરે? આદ્યશક્તિની આરતીમાં તેમણે ગાયું છે:

સંતવ સોળ સત્તાવન સોળસે બાવીસ મા,
સંતવ સોળે પ્રગટ્યાં;
રેવાને તીરે.મા ગંગાને તીરે.
જય હો! જય હો! મા જગદંબે.

વિક્રમ સંવત ૧૬૫૭ અર્થાત્ ઇ.સ. ૧૬૦૧માં શિવાનંદ સ્વામીને માતાજીનાં દર્શન થયાનો અહીઁ ઉલ્લેખ છે. શરૂઆતમાં આ આરતી ૧૭ કડીની હતી, બાદમાં નવી ચાર કડીઓ ઉમેરાય અને આજે ૨૧ કડીની આરતી ગવાય છે. આજે આ આરતીમાં લોકો 'જ્યો જ્યો મા જગદંબે!' બોલે છે તેનો કોઈ અર્થ જ નથી નીકળતો. એને સ્થાને 'જય હો! જય હો! મા જગદંબે' આવે છે.
જય માતાજી

છેલ્લી તારીખ ૧૫/૦૮/૨૦૨૪
13/08/2024

છેલ્લી તારીખ ૧૫/૦૮/૨૦૨૪

29/02/2024

Address

Kalyanpur Rod
Bhatiya
361315

Telephone

+919428316613

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjay gosai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share