I Bhavnagar

I Bhavnagar Its all about Bhavnagar and near by bhavnagar

चार भुजाओ वाले योद्धा :– जयमल और कल्ला जी राठौर कल्ला जी राठौड़ वे शूरवीर थे, जिन्होंने चित्तौड़ पर अकबर के आक्रमण के सम...
01/03/2024

चार भुजाओ वाले योद्धा :– जयमल और कल्ला जी राठौर

कल्ला जी राठौड़ वे शूरवीर थे, जिन्होंने चित्तौड़ पर अकबर के आक्रमण के समय महाराणा उदयसिंह की सेना में शामिल होकर अपनी वीरता का परिचय दिया था। युद्ध में सेनापति जयमल सिंह राठौड़ थे। उनके पांव घायल हुए तो 24 साल के कल्ला जी ने उन्हें कंधों पर बिठाकर चार भुजाओं के साथ युद्ध किया। दो भुजाएं कल्ला जी की और दो जयमल की जिसे देख कर उन्हे चतुर्भुज देवता की संज्ञा मिली उन्हे देख कर अकबर को लगा मानो युद्धभूमि में चार भुजाओं बाला कोई देवता युद्ध कर रहा हो , माना जाता हे उनके सर कट जाने के बाद भी उनके धड़ युद्धभूमि में लड़ते रहे 🗡️ *जय राजपूतान* चंद्रवंशी क्षत्रिय खंगार राजपूत Kshatriya Khangar rajput

follow जरूर करे ♥ आपका स्पोर्ट ही हमे प्रोत्साहित करता है।

धन्यवाद ♥ से।

100k करवादो बस। 😊

गागरोन के युद्ध में महियारिया गोत्र के चारण हरिदास ने जंग के मैदान में घोड़े से गिरे हुए महमूद खिलजी को पकड़ लिया और महार...
26/02/2024

गागरोन के युद्ध में महियारिया गोत्र के चारण हरिदास ने जंग के मैदान में घोड़े से गिरे हुए महमूद खिलजी को पकड़ लिया और महाराणा सांगा के सामने पेश किया। महाराणा सांगा महमूद खिलजी को कैद कर चित्तौड़ ले आए।

महाराणा सांगा ने खुश होकर चित्तौड़ का राज हरिदास जी को सौंपना चाहा, पर हरिदास जी ने लेने से मना किया व सिर्फ 12 गाँव लेकर ही सन्तुष्ट हुए। इन 12 गांव में से पांचली गांव में अब तक हरिदास जी के वंशज मौजूद हैं।

चक्रवर्ती विक्रमादित्य...।।।।।।।कलि काल के 3000 वर्ष बीत जाने पर 101 ईसा पूर्व सम्राट विक्रमादित्य मालव का जन्म हुआ। उन्...
10/01/2024

चक्रवर्ती विक्रमादित्य...।।।।।।।

कलि काल के 3000 वर्ष बीत जाने पर 101 ईसा पूर्व सम्राट विक्रमादित्य मालव का जन्म हुआ। उन्होंने 100 वर्ष तक राज किया।
विक्रमादित्य मालव ईसा मसीह के समकालीन थे और उस वक्त उनका शासन अरब तक फैला था। विक्रमादित्य मालव के बारे में प्राचीन अरब साहित्य में भी वर्णन मिलता है। नौ रत्नों की परंपरा उन्हीं से शुरू होती है। विक्रमादित्य मालव उस काल में महान व्यक्तित्व और शक्ति का प्रतीक थे।

विक्रमादित्य का शासन अरब और मिस्र तक फैला था और संपूर्ण धरती के लोग उनके नाम से परिचित थे। विक्रमादित्य भारत की प्राचीन नगरी उज्जयिनी के राजसिंहासन पर बैठे। विक्रमादित्य मालव अपने ज्ञान, वीरता और उदारशीलता के लिए प्रसिद्ध थे जिनके दरबार में नवरत्न रहते थे। कहा जाता है कि विक्रमादित्य बड़े पराक्रमी थे और उन्होंने शकों को परास्त किया था।

देश में अनेक विद्वान ऐसे हुए हैं, जो विक्रम संवत को उज्जैन के राजा विक्रमादित्य मालव द्वारा ही प्रवर्तित मानते हैं। इसके अनुसार विक्रमादित्य मालव ने 3044 कलि अर्थात 57 ईसा पूर्व विक्रम संवत चलाया। नेपाली राजवंशावली अनुसार नेपाल के राजा अंशुवर्मन के समय (ईसापूर्व पहली शताब्दी) में उज्जैन के राजा विक्रमादित्य मालव के नेपाल आने का उल्लेख मिलता है।
भारत, पाकिस्तान, अफगानिस्तान, तजाकिस्तान, उज्बेकिस्तान, कजाकिस्तान, तुर्की, अफ्रीका, सऊदी अरब, नेपाल, थाईलैंड, इंडोनेशिया, कमबोडिया, श्रीलंका, चीन का बड़ा भाग इन सब प्रदेशो पर विश्व के बड़े भूभाग पर था ओर इतना ही नही सम्राट विक्रमादित्य मालव ने रोम के राजाओं को हराकर विश्व विजय भी कर लिया था।

"यो रूमदेशाधिपति शकेश्वरं जित्वा "।।

अर्थ: उन्होंने रोम के राजा और शक राजाओं को जीता। कुल मिलाकर 95 देश जीतें। आज भारत मे प्रजातंत्र है, लेकिन भारत में शांति नही है लेकिन इस प्रजातंत्र की नींव डालने की शुरुवात ही खुद महान राजा विक्रमादित्य ने की थी विक्रमादित्य की सेना का सेनापति प्रजा चुनती थी।
वह प्रजा द्वारा चुना हुआ धर्माध्यक्ष होता था प्रजा द्वारा अभिषिक्त निर्णायक होता था आज के समय मे अमरीका और रूस के राष्ट्रपति की जो शक्ति है वही शक्ति महाराज विक्रमादित्य मालव के सेनापति की होती थी। लेकिन यह सब भी अपना परम् वीर विक्रम को ही मानते थे। महाराज विक्रम ने भी अपने आप को शासक नही, प्रजा का सेवक मात्र घोषित कर रखा था।

महाराज विक्रम बहुत ही शूरवीर और दानी थे। शुंग वंश के बाद पंजाब के रास्ते से शकों ने भारत को तहस नहस कर दिया था लेकिन वीर विक्रम ने इन शकों को पंजाब के रास्ते से ही वापस भगाया। पुष्यमित्र शुंग की मृत्यु के बाद जो भारतीय असंगठित होकर शकों का शिकार हो रहे थे उन भारतीय को जीवन मंत्र देकर महाराज विक्रम ने विजय का शंख फूंककर पूरे भारत को संगठित कर दिया।

महाराजा वीर विक्रम जमीन पर सोते थे अल्पाहार लेते थे वे केवल योगबल पर अपने शरीर को वज्र सा मजबूत बनाकर रखते थे। इन्होंने महान सनातन राष्ट्र की स्थापना कर सनातन धर्म का डंका पुनः बजाया था।

महाभारत के युद्ध के बाद वैदिक धर्म का दिया लगभग बुझ गया था, हल्का सा टिमटिमा मात्र रहा था। इस युद्ध के बाद भारत की वीरता, कला, साहित्य, संस्कृति सब कुछ मिट्टी में मिल गयी थी।

ऐसा भी एक समय आया जब सारे भारतीय ही "अहिंसा परमोधर्म" वाला बाजा बजा रहे थे। विदेशों से हमले हो रहे थे ओर हम अहिंसा में पंगु होकर बैठ गये भारत के अस्ताचल से सत्य सनातन धर्म के सूर्य का अस्त होने को चला था। प्रजा दुखी थी, विदेशी शक, हूण, कुषाण शासकों के आक्रमणों से त्राहि त्राहि मची थी। ऐसे महान विपत्तिकाल में "धर्म गौ ब्राह्मण हितार्थाय" की कहानी को चरितार्थ करने वाला प्रजा की रक्षा करने वाला, सत्य तथा धर्म का प्रचारक वीर पराक्रमी विक्रम मालव पैदा हुए।

इनके पराक्रम का अंदाजा इस बात से लगा सकते है कि जावा सुमात्रा तक के सुदूर देशों तक इन्होंने अपने सेनापति नियुक्त कर रखे थे।
उत्तर पश्चिमी शकों का मान मर्दन करने के लिए मुल्तान के पास जागरूर नाम की जगह पर महाराज विक्रम और शकों के भयानक युद्ध हुआ। विशेषकर राजपुताना के उत्तरपश्चिमी राज्य में शकों ने उत्पात मचा रखा था। मुल्तान में विक्रम की सेना से परास्त होकर शक जंगलो में भाग गए उसके बाद इन्होंने फिर कभी आंख उठाने की हिम्मत नही की लेकिन उनकी संतान जरूर फिर से आती रही।

विक्रमादित्य मालव के काल के सिक्कों पर "जय मालवाना" लिखा होता था विक्रमादित्य के मातृभूमि से प्रेम से इससे अच्छा उदाहरण क्या हो सकता है सिक्को पर अपना नाम न देकर अपनी मातृभूमि का नाम दिया।

आज हमारी सनातन संस्कृति केवल विक्रमादित्य मालव के कारण अस्तित्व में है अशोक मौर्य ने बोद्ध धर्म अपना लिया था और बोद्ध बनकर 25 साल राज किया था। भारत में तब सनातन धर्म लगभग समाप्ति पर आ गया था।

जब रामायण, और महाभारत जैसे ग्रन्थ खो गए थे, महाराज विक्रम ने ही पुनः उनकी खोज करवा कर स्थापित किया। विष्णु और शिव जी के मंदिर बनवाये और सनातन धर्म को बचाया।
विक्रमादित्य मालव के 9 रत्नों में से एक कालिदास ने अभिज्ञान शाकुन्तलम् लिखा, भारत का इतिहास है अन्यथा भारत का इतिहास क्या हम भगवान् कृष्ण और राम को ही खो चुके थे। आज उन्ही के कारण सनातन धर्म बचा हुआ है, हमारी संस्कृति बची हुई है।

महाराज विक्रमादित्य मालव ने केवल धर्म ही नही बचाया उन्होंने देश को आर्थिक तौर पर सोने की चिड़िया बनाई, उनके राज को ही भारत का स्वर्णिम राज कहा जाता है।

विक्रमादित्य मालव के काल में भारत का कपडा, विदेशी व्यपारी सोने के वजन से खरीदते थे। भारत में इतना सोना आ गया था कि, विक्रमादित्य मालव काल में सोने की सिक्के चलते थे।
कई बार तो देवता (श्रेष्ठ ज्ञानी व्यक्ति) भी उनसे न्याय करवाने आते थे, विक्रमादित्य मालव के काल में हर नियम धर्मशास्त्र के हिसाब से बने होते थे। न्याय, राज सब धर्मशास्त्र के नियमो पर चलता था। विक्रमादित्य मालव का काल प्रभु श्रीराम के राज के बाद सर्वश्रेष्ठ माना गया है, जहाँ प्रजा धनी और धर्म पर चलने वाली थी।

महान सम्राट विक्रम ने रोम के शासक जुलियस सीजर को भी हराकर उसे बंदी बनाकर उज्जैन की सड़कों पर घुमाया था तथा बाद में उसे छोड़ दिया गया था।

विक्रमादित्य के काल में दुनियाभर के ज्योतिर्लिंगों के स्थान का जीर्णोद्धार किया गया था। कर्क रेखा पर निर्मित ज्योतिर्लिंगों में प्रमुख रूप से थे मुक्तेश्वर, गुजरात के सोमनाथ, उज्जैन के महाकालेश्वर और काशी के विश्वनाथ बाबा।

कर्क रेखा के आसपास 108 शिवलिंगों की गणना की गई है। विक्रमादित्य मालव ने नेपाल के पशुपतिनाथ, केदारनाथ और बद्रीनाथ मंदिरों को फिर से बनवाया था। इन मंदिरों को बनवाने के लिए उन्होंने मौसम वैज्ञानिकों, खगोलविदों और वास्तुविदों की भरपूर मदद ली। विक्रमादित्य मालव के समय ज्योतिषाचार्य मिहिर, महान कवि कालिदास थे।
विक्रमादित्य तो एक उदाहरण मात्र है, भारत का पुराना अतीत इसी तरह के शौर्य से भरा हुआ है। भारत पर विदेशी शासकों के द्वारा लगातार राज्य शासन के बावजूद निरंतर चले भारतीय संघर्ष के लिए ये ही शौर्य प्रेरणाएं जिम्मेदार हैं।

हम सबको इस महान सम्राट से प्रेरणा ले कर राष्ट्र व धर्म की रक्षा में उद्यत रहना चाहिए एवं हमारे गौरवपूर्ण इतिहास को जानना चाहिए।

🔥🕉️🚩🇮🇳

वीर शिरोमणि महाराणा प्रताप, बहलोल खां को उसके शिरस्त्राण, कवच व घोड़े सहित चीरते हुए
05/01/2024

वीर शिरोमणि महाराणा प्रताप, बहलोल खां को उसके शिरस्त्राण, कवच व घोड़े सहित चीरते हुए

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તર...
27/12/2023

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા..🙏

ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની અધ્યક્ષતાવાળી એક વહીવટી કાઉન્સિલની રચના કરવામાં આવી. 1919થી 31 સુધી વહીવટી કાઉન્સિલ પદ્ધતિથી રાજવહીવટ સફળતાપૂર્વક ચલાવાયો. પ્રજાકલ્યાણનાં કેટલાંક મહત્વપૂર્ણ કાર્યો આ સમય દરમિયાન થયાં. પરિણામે ભાવનગર રાજ્ય ઉન્નતિના માર્ગે અગ્રેસર થયું.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી પુખ્તવયના થતાં 18 એપ્રિલ, 1931ના રોજ રાજ્યની તમામ સત્તા તેમને સુપરત કરવામાં આવી; એ સાથે જ વહીવટી કાઉન્સિલનો વહીવટ બંધ થયો.

કૃષ્ણકુમારસિંહજી મહારાજા બને તે પહેલાં તેમને એક આદર્શ અને સદગુણ-સંપન્ન રાજવી તરીકેની સંપૂર્ણ તાલીમ મળી રહે એવા હેતુથી સર પ્રભાશંકર પટ્ટણીએ તેમની કેળવણી અંગે બરાબર વ્યવસ્થા ગોઠવી હતી. રાજકોટ ખાતેની રાજકુમાર કૉલેજમાં તાલીમ લીધા બાદ ઇંગ્લૅન્ડની ‘હૅરો’ નામની શિક્ષણસંસ્થામાં અભ્યાસ કરી ભારત આવ્યા બાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં પ્રિન્સિપાલ ટી. કે. શહાણીનાં રાજ્યશાસ્ત્ર વિષય પરનાં વ્યાખ્યાનોમાં તે હાજરી આપતા. હિંદનાં અન્ય દેશી રાજ્યોની પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા કેટલાંક દેશી રાજ્યોનો તેમજ પશ્ચિમના દેશોની આધુનિક સંસ્કૃતિ અને લોકશાહી રાજ્યવ્યવસ્થાનો પ્રત્યક્ષ પરિચય થાય તે હેતુથી અમેરિકા અને યુરોપના કેટલાક દેશોનો તેમણે પ્રવાસ કર્યો હતો. વર્તન અને કાર્યો દ્વારા આ કેળવણી તેમણે સાર્થક કરી બતાવી હતી.

કૃષ્ણકુમારસિંહજીએ ગાદીએ બેસતાંની સાથે જ તેમના શુભ લગ્ન પ્રસંગે ઉપયોગમાં લેવા બાંધવામાં આવેલ પાકી બાંધણીનો અદ્યતન ભવ્ય મંડપ, ભાવનગર શહેરની પ્રજાને ‘ટાઉન હૉલ’ તરીકે ભેટ આપીને પ્રજાવત્સલતા વ્યક્ત કરી. ખેડૂતો માટે ‘ગ્રામ સુધારણા ફંડ’ શરૂ કર્યું. ઋણરાહત યોજનાનુસાર ખેડૂતોનું રૂ. 88 લાખનું દેવું માફ કરાયું. શાહુકારોને રૂ. 22 લાખ રાજ્યે ચૂકવ્યા. ભારતમાં આ પ્રથમ પ્રયાસ હતો. દક્ષિણામૂર્તિને મળતું અનુદાન રૂ. 5,000 કરવામાં આવ્યું. આ સંસ્થા બંધ થતાં આ અનુદાન નાનાભાઈ ભટ્ટ દ્વારા આંબલા ખાતે સ્થાપવામાં આવેલ ગ્રામદક્ષિણામૂર્તિને તબદીલ કરવામાં આવ્યું. આ માટે મફત જમીનની પણ ફાળવણી કરવામાં આવી. આ ઉપરાંત જૂની શામળદાસ કૉલેજનું મકાન નાનું લાગતાં વાઘાવાડી રોડ પર 1931-32માં વિશાળ અને અદ્યતન સુવિધા ધરાવતું મકાન બાંધવામાં આવ્યું.

ભાવનગર બંદરનો ઝડપી વિકાસ સાધવા 1932-34માં રૂવા નજીક નવાબંદર પર ‘જેટી’ બંધાવી. અહીંથી જૂના બંદરે આવેલાં ગોદામો સુધી નવી રેલવે લાઇન તેમજ ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામવે શરૂ કરાવી.

સર તખ્તસિંહજી હૉસ્પિટલના આગળના ભાગનો જીર્ણોદ્ધાર તેમજ બાજુમાં બે નવા ભાગોનું બાંધકામ કરાવ્યું. હૉસ્પિટલ માટે અદ્યતન સાધનો વસાવ્યાં અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી.

ભાવનગર રાજ્યના કુશળ ઇજનેર વીરેન્દ્રરાય મહેતા હસ્તક હાલના કૃષ્ણનગરનું આયોજન કરાવી કૃષ્ણનગર વસાવ્યું. ડામરના રસ્તા અને વીજળીકરણનો પ્રારંભ થયો. શહેરને શુદ્ધ પાણી પૂરું પાડવા આધુનિક પ્રકારનો નવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ શરૂ કરાવ્યો તેમજ 1940માં હિંદના નિષ્ણાત ઇજનેર સર વિશ્વેશ્વરૈયાની સલાહ લઈને ગૌરીશંકર સરોવરનો વિસ્તાર વધારવામાં આવ્યો. ઉપરાંત શિહોર પાસે ખોડિયાર તળાવનું બાંધકામ કરાવ્યું. 1936માં શહેરમાં ભૂગર્ભ ગટર યોજના શરૂ કરવામાં આવી. નાગરિક રક્ષકદળ(civic guards)ની પ્રવૃત્તિ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમલમાં મૂકવામાં આવી.

કૃષ્ણકુમારસિંહજીએ મહાજન અને નગરશેઠ પ્રત્યે હંમેશાં આદરભર્યા અને સ્વજન જેવા સંબંધો જાળવ્યા હતા. તોપણ રાષ્ટ્રીય ચળવળનો અંતિમ દાયકો રાજા અને પ્રજાના સંબંધોની કસોટી કરે તેવો ઐતિહાસિક બની રહ્યો. કૃષ્ણકુમારસિંહજી હિંદમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિને બરાબર ઓળખી શક્યા હતા. 1939માં સરદાર પટેલના પ્રમુખપદે પ્રજાપરિષદનું અધિવેશન ભાવનગરમાં મળ્યું હતું. તેમણે 8 જૂન 1940ના રોજ રાજ્યમાં બંધારણીય સુધારા આપવાની અને ધારાસભા સ્થાપવાની જાહેરાત કરી. 1 ડિસેમ્બર 1941ના રોજ આ પ્રથમ ધારાસભાનું તેમણે ઉદઘાટન કર્યું. પ્રજાને ધારાસભાની કાર્યવાહી દ્વારા લોકશાહી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ થયો. ભવિષ્યમાં જવાબદાર રાજ્યતંત્રનાં સૂત્રો પોતાના હાથમાં લેવા પ્રજા તૈયાર થઈ ગઈ.

ભાવનગર રાજ્યની એ એક આગવી અને વિશિષ્ટ પરંપરા રહી છે : ‘અન્યને માટે કશુંક જતું કરવું’. દેશી રાજ્યોનું સીમાલોપન કરી અખિલ ભારતને એક રાષ્ટ્ર તરીકે જોવાના સ્વપ્નને સાકાર કરવાના સરદાર વલ્લભભાઈ પટેલના મહાયજ્ઞમાં કૃષ્ણકુમારસિંહજીએ 15 જાન્યુઆરી 1948ના રોજ જવાબદાર તંત્ર આપીને પોતાની સઘળી સંપત્તિ સાથે રાજ્ય રાષ્ટ્રપિતા ગાંધીજીનાં ચરણોમાં ધરી દઈને દેશી રાજ્યોના વિલીનીકરણમાં પ્રથમ પુનિત આહુતિ આપી. સમયોચિત રાષ્ટ્રકર્તવ્યપાલનથી ભાવનગરના આ મહારાજાનું નામ નૂતન ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાયેલું છે.

આઝાદી બાદ 1948માં કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમાયા અને માસિક એક રૂપિયાનું પ્રતીક માનદ વેતન સ્વીકારીને પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડ્યો. પ્રજાવત્સલ, ન્યાયપ્રિય, દીર્ઘદ્રષ્ટા, સમુદાર, નમ્ર અને અભિજાત રાજવી તરીકેની પ્રતિભા ધરાવતા કૃષ્ણકુમારસિંહજી પ્રજાનો આદર પામનારા એક આદર્શ રાજવી હતા.

સંત શ્રી મસ્તરામ બાપુ ચિત્રા રોડભાવનગરફક્ત ગોહિલવાડમાં જ જાણીતા નહિ,,પરંતુ તે સમયના નારાયણ બાપુ અને મોરારી બાપુ તથા આખા ...
07/01/2022

સંત શ્રી મસ્તરામ બાપુ
ચિત્રા રોડ
ભાવનગર

ફક્ત ગોહિલવાડમાં જ જાણીતા નહિ,,પરંતુ તે સમયના નારાયણ બાપુ અને મોરારી બાપુ તથા આખા ગુજરાતની જનતાને પણ જેનામાં અપાર શ્રદ્ધા હતી તેવા ભાવનગરના ચિત્રા સ્થિત આવેલ સંત શ્રી મસ્તરામ બાપુ ના એક કિસ્સા ની વાત નીચે મુકેલ મૂળ તસ્વીર સાથે કરશું:

આ અમે નીચે મુકેલ તસ્વીર પર થી બધા ને સ્પષ્ટ નહી થાય કે આ સૂતેલી અવસ્થા માં સાધુ કોણ છે. હું આપને જણાવી દઉ કે વર્ષ ૧૯૮૬ મા નારાયણ બાપુ ના માંડવી સ્થિત આશ્રમમાં આવેલું પૌરાણિક ચપ્લેશ્ચર મહાદેવ મંદિર ના નિર્માણ અને પૂજ્ય મોરારી બાપુ ની રામકથા તથા ગૌશાળા બનાવવા માટે નારાયણ બાપુ એ મનોમન નક્કી કર્યું. માંગી ને ખાવું એ આ બાવલીયા ના લોહીના સંસ્કાર ન હતા માટે ફાળો ઉઘરાવવા કરતા ફરી ફરી ભજન ના પ્રોગ્રામ કરી અને પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. નારાયણ બાપુ ના ભજન હોય એટલે હકડે ઠાઠ મેદની હોય એ નક્કી.

સતત ૨૧ દિવસ સુધી દિવસે મુસાફરી અને રાત્રે ભજન ના કાર્યક્રમ કર્યા. ફરતા ફરતા ભાવનગર આવ્યું. નારાયણ બાપુને મોરારી બાપુની રામકથા માં મુખ્ય યજમાન તરીકે સંત શિરોમણી મસ્તરામ બાપુ ને રાખવા હતા. આપને મસ્તરામ બાપુનો થોડો પરિચય આપી દઉં, સાધુ ની વ્યાખ્યામાં એ સમયે અવ્વલ કહેવાતા. મસ્તરામ બાપુ પોતાના સ્થાન પર અડગ આશરે ૩૫ -૪૦ વર્ષ થી પણ વધારે સમયથી બેઠા હતા,ન ખાવું ન પીવું ન કોઈ કુદરતી હાજતે જવું કોઈ શરીર ના બંધન વગર બાપુ એક જ જગ્યાએ બેઠા રહેતા. આ હતા મારા ભારત વર્ષના સાધુ સંતો ની તાકાત. એક વાર ગોહિલવાડ માં આવેલ ભયંકર વાવાઝોડામાં મસ્તરામ બાપુ અને તે જે બાવળ નીચે બેસતા એ બાવળ નું તણખલું પણ હલ્યું ન હતું. ત્યાર બાદ ભાવનગર ના લોકો મસ્તરામ બાપુ ને ઓળખતા થયાં. અખંડ મૌન ધારણ કરનાર મસ્તરામ બાપુને ગોહિલવાડના લોકો બજરંગદાસ બાપાનો બીજો અવતાર પણ માનતા હતા.

હવે મૂળ વાત પર પાછા ફરીએ નારાયણ બાપુને સપ્તાહ માટે એક શેઠ દ્વારા ૨.૫૦ લાખ ના દાન ની ઓફર કરવામાં આવી હતી, બદલામાં તેમને કથા ના મુખ્ય યજમાન બનાવવા પણ નારાયણ બાપુએ નક્કી કર્યું કે યજમાન તો મસ્તરામ બાપુ જ બનશે. મસ્તરામ બાપુ પાસે જઈ અને નારાયણ બાપુ એ કહ્યું કે રામ કથા નું આયોજન કર્યું છે અને મુખ્ય યજમાન તમને બનાવવાના છે. કોઈ દિવસ મસ્તરામ બાપુ બોલતા નહિ,એટલે તેમણે મોઢું હલાવી ના પાડી. ત્યાં બેસેલા બાપુના એક સેવકે કહ્યું કે બાપુ પોતાના સ્થાન પરથી બેઠા થતાં જ નથી માટે તે નહિ આવી શકે. પણ નારાયણ તો નારાયણ હતા તેમણે કહ્યું કે કઈ વાંધો નહિ,નારાયણ બાપુએ પોતાની પેટી મંગાવી અને મસ્તરામ બાપુ સામે બેસીને ભજન ગાયા. ( જે નીચે તસ્વીરમાં ઓરીજનલ ફોટો અમે મૂક્યો છે,આ તસ્વીર ચિત્રા મા આવેલ મસ્તરામ બાપાના મંદિરની છે ) ભજન સાંભળતા સાંભળતા મસ્તરામ બાપુની આંખમાં થી આંસુઓ ની ધારા વહેવા માંડી,જેવા ભજન પૂર્ણ થાય એટલે પોતાના સેવક ને મસ્તરામ બાપુએ ઈશારો કર્યો સેવક ને ઈશારો થતાં જ પોતે દોડી અને તેના ઘરે મસ્તરામ બાપુનો એક ફોટો હતો તે ફોટો લઈ ને આવ્યો અને કહ્યું કે બાપુ નો આ ફોટો તમે ત્યાં સ્ટેજ પર રાખજો,મસ્તરામ બાપુ ત્યાં હાજર રેહશે. નારાયણ બાપુ ને જે જોઈતું હતું તે મળી ગયું. ફોટો લઈ અને નારાયણ નિકળી ગયા પોતાની ભજન સફર પર.

ડિસેમ્બર ૧૯૮૬ માં મોરારી બાપુની રામ કથા નું આયોજન થયું. મુખ્ય યજમાન તરીકે મસ્તરામ બાપુનો ફોટો, દિવસે કથા અને રાત્રે ભજન રોજ આશરે ૩૦ થી ૪૦ હજાર માણસ જમતાં અને કથા નો લાભ લેતા,આ છે મારા દેશ ના સાધુ સંતો.

આવા સાક્ષાત ભાવનગરના સંત મસ્તરામ બાપુને કોટી કોટી વંદન....
🙏🙏🙏

તખ્તેશ્વર મહાદેવ ઈતિહાસઆઠ વર્ષ સુધી એકહજાર કારીગરોએ શ્રમદાન, મંદિર પરથી દેખાય છે આખું ........................શ્રી તખ્તે...
13/08/2021

તખ્તેશ્વર મહાદેવ ઈતિહાસ
આઠ વર્ષ સુધી એકહજાર કારીગરોએ શ્રમદાન, મંદિર પરથી દેખાય છે આખું ........................
શ્રી તખ્તેશ્વર મહાદેવ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાંના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપુર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવાયેલું છે. તે ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યુ છે. અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે.તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન ગણવામાં આવે છે. જે 1883માં સફેદ આરસાપહાણમાંથી એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરની ટેકરી પરથી આખા ભાવનગરનું રમણીય દ્રશ્ય જોઇ શકાય છે. મંદિરશ્રી તખ્તસિંહજી રાજાએ સં.1949, ઈ.સ. 1893માં જાન્યુઆરી માસમાં મહાદેવજીની પ્રતિષ્ઠા કરી ભાવનગરની પ્રજાના દર્શન માટે ખુલ્લુ મુક્યું.
મંદિરનો ઈતિહાસ ખૂબ સુંદર છે. શાંત રમણીય અને સુંદર પહાડી-ટેકરી ઉપર આવેલું મંદિર લગભગ 120 વર્ષ પુરાણું છે. એકવાર મહારાજા તખ્તસિંહજી યાત્રા કરવા નિકળ્યા. પરત ફરતી વખતે બોટાદ ગામ પાસે એક સંત મળ્યા ખૂબજ ઠંડી હતી તે વેળાએ રાજાએ સંતને શાલ ઓઢાડી. સમયે સંતે ફૂંક મારીને શાલ બાળી નાખી. સંતનું નામ મસ્તરામબાપુ હતું.
બનાવ જોતા તખ્તસિંહજી રાજા સમજી ગયા કે કોઈ ચમત્કારી મહાપુરૂષ લાગે છે. નીચે ઉતરી તુરત પૂછ્યું ‘મહાત્માજી મારે લાયક કોઈ હુકમ?’ સમયે સંત તેની ભાષામાં બોલ્યાં. ‘તખ્તા કરી લાત હાથ પકતા’ ‘ફીર આયેગા વક્તા (વક્ત)’ બાત મસ્તરામ બક્તા. તું બારશે પાદરનો ધણી છો. તારી સ્મૃતિ કાયમ રહે માટે તું મંદિર બંધાવ, દવાખાના, ધર્મશાળા, શાળા કોલેજ બંધાવ. તારા નાશ પછી તારૂ કામ તને કાયમ ચિરંજીવ રાખશે. રીતે તેને મંદિર બાંધવા નિર્ણય કર્યો.શહેરની હેરીટેઝ પ્રોપર્ટીમાં તેનો સમાવેશ થાય છે. આરસની કોતરણી મનમોહક છે. મંદિરના પરિસરમાં બેસી શિવ નામ સ્મરણ કરવાથી ભક્તો પોતાની જાતને ધન્ય માને છે. ટેકરી ઉપરથી સમગ્ર ભાવનગર શહેરનું દર્શન મહાદેવજી કરે છે અને ભાવનગરવાસીઓને ધન્યતા બક્ષે છે.
એક રાત્રિએ રાજાના સ્વપ્નમાં મહાદેવજી આવ્યા ને કહ્યું ‘હે રાજા નર્મદા કિનારેથી મારૂ લીંગ લાવીને મારી સ્થાપના કરજે. રીતે તખ્તસિંહજી રાજાએ સંતના આદેશથી પોતાની સ્મૃતિમાં તખ્તેશ્વર મહાદેવજીની સ્થાપના કરી.🙏

03/08/2021

માધવ દર્શન કોમ્પ્લેક્ષ માં વિકરાળ અગ લાગી કોઈ જાન હાનિ નઈ...

👉 Please check www.plasma-donor.com for plasma donor.👉 Search donor ma jai ne Mali jashe aa site mathi
10/05/2021

👉 Please check www.plasma-donor.com for plasma donor.
👉 Search donor ma jai ne Mali jashe aa site mathi

*મુખ્યમંત્રી દ્વારા બોલાવેલ કોર કમિટીની બેઠક પૂર્ણ : હવે ૨૯ ના બદલે ૩૬ શહેરોમાં આગામી તા.૧૨ મેં સુધી રાત્રીના ૮ થી સવારે...
04/05/2021

*મુખ્યમંત્રી દ્વારા બોલાવેલ કોર કમિટીની બેઠક પૂર્ણ : હવે ૨૯ ના બદલે ૩૬ શહેરોમાં આગામી તા.૧૨ મેં સુધી રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ યથાવત રાખવા બેઠકમાં કરાયો નિર્ણય : સરકારની જીદ યથાવત.લોકડાઉન તો નહીં જ કરાય.*

Manso ni lasho par sata ni rotli sekayche...😡

Ek nirnay evo pan lyo k koipan neta k vip vvip ne covid positive aave to treatment fakta Civil hospital maa j laisake toj have sudharo aavse.

Vijay Rupani BJP Gujarat Bharatiya Janata Party (BJP) IBhavnagar IBhavnagar

What you people's want to do ??? 😡😡😡🤬ICMRની RTPCR ટેસ્ટ પર નવી ગાઈડલાઈન-એકવાર કોરોના પોઝિટિવ થયેલાનો ફરી RTPCR કરવાની જર...
04/05/2021

What you people's want to do ??? 😡😡😡🤬

ICMRની RTPCR ટેસ્ટ પર નવી ગાઈડલાઈન

-એકવાર કોરોના પોઝિટિવ થયેલાનો ફરી RTPCR કરવાની જરૂર નથી

-હોસ્પિટલમાંથી રજા આપતી વખતે દર્દીનો ફરીવાર RTPCR ટેસ્ટ કરવાની જરૂર નથી

-લેબોરેટરી પર ટેસ્ટનું ભારણ ઘટાડવા આંતર રાજ્ય પ્રવાસ કરતા સ્વસ્થ વ્યક્તિના RT-PCR ટેસ્ટની જરૂર નથી

ઘોઘા વેપાર માટે મહત્ત્વનું બંદર કહેવાતું સમૃધ્ધ ઘોઘા શહેર ઉપર આરબો મુસ્લિમો પોર્ટુગીઝોના આક્રમણો ક્રમશઃ થતા રહયા છે તેથી...
04/05/2021

ઘોઘા વેપાર માટે મહત્ત્વનું બંદર કહેવાતું સમૃધ્ધ ઘોઘા શહેર ઉપર આરબો મુસ્લિમો પોર્ટુગીઝોના આક્રમણો ક્રમશઃ થતા રહયા છે તેથી બંદરની ચડતી પડતી પણ અનેક વખત આવી ઇ.સ 1842 માં ફરી ઘોઘા બંદર વેપાર-વણજમાં જામી ગયુ હતુ આ સમયે કાઠીયાવાડીનાં કિનારે 62 બંદર હતા જેમાં 12 બંદર જ વેપારનાં મુખ્ય કેન્દ્રો હતા તેમાં પણ ઘોઘા મુખ્ય અને અગત્યનુ બંદર હતુ ઇ.સ 1849-50ના વર્ષમાં ઘોઘાનો વેપાર 72 લાખ રૂપિયા હતો. જયારે તે વર્ષે ભાવનગર બંદરે માત્ર 7 લાખ રૂપિયા હતો ઘોઘાનો ઈતિહાસ અનેક જાહોજલાલીથી ભરપૂર હતો ઘોઘા બંદરે અનેક ચડતી–પડતી જોઈ છે તેના પરિણામરૂપે ઘોઘામાંથી ખોદકામ કરતા પ્રાચીન મૂર્તિઓ, સિક્કાઓ, માટીના વાસણો વગેરે વસ્તુઓ અનેક વખત મળી આવી છે આ ઐતિહાસિક વસ્તુઓ તે સમયના ઘોઘાની સમૃધ્ધિનો નિર્દેશ કરતી હતી

ખજુરીયા ચોક નામથી જાણીતો વિસ્તાર જુના સમયમાં ખજુરના ગોદામોથી ભરેલો હતો અરબસ્તાની ઘોડાઓની આયાત માટે પણ ઘોઘા પ્રખ્યાત હતું તેથી જ બીજી કહેવત પડી છે કે કહો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉ ઘોઘામાં રેક જ્ઞતિના લોકો વસતા હતા. ઘોઘામાં કુંભારવાડા પખાલીવાડા સોનીવાડા ધોબીવાડા નાગરવાડા મોકરકવાડા મુનારવાડા મચ્છીવાડા, બારવાડા, વરકુવાડા, માલમવાડા જેવા વાડાઓ છે. આટલી વસ્તીને પહોંચી વળવા અહી 108 કૂવા તથા 7 તળાવો હતા

ઘોઘાથી ભરુચ અને મુંબઈ જવા માટે વહાણ ઉપડતા મુસાફરીના વહાણો રવાના થવાના હોય તેના બે દિવસ પહેલા ગામમાં ઘંટ વગાડીને વહાણ ઉપાડવાની જાણ કરાતી હતી, ઘોઘામાં કૂતરા ભસે તેનો અવાજ ભરૂચમાં સંભળાતો એ વાયકા તો વર્ષો સુધી રહી હતી. એકસમયે ભાવનગર ઘોઘા કહેવાતું હતું જ્યારેઘોઘા બંદરનો દબદબો હતો ત્યારે ભાવનગરની ઓળખ ઘોઘા હતી ચીની મુસાફર ફાહિયાને ભારતમાં ર૦ વર્ષ ગાળ્યા બાદ ઘોઘાથી દક્ષિણ ભારત જવા દરિયાઇ મુસાફરી આરંભી દરિયામાં તોફાન નડતા વહાણનું વજન હલકું કરવું પડે તેમ હતું ફાહિયાન નિરાશ થયો. ત્યારે ઘોઘાના ખારવાઓએ કહયુ અમે તમારા પુસ્તકોનો નાશ નહી થવા દઇએ તમે અમારા દેશની વિદ્યા લઇ જાઓ છો તે સચવાશે તો તમે ઘોઘાને યાદ કરશો અને આ બંદર વધું વિસ્તાર પામશે એ વિદ્યાનો આમ નાશ થાય એ કરતા બહેતર છે કે અમારામાંથી ત્રણ-ચાર જણ જળસમાધિ લે. આમ ઘોઘાના માણસોએ ફાહિયાન તથા પુસ્તકો બચાવવા પોતાના જાનની કુરબાની આપી હતી.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when I Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to I Bhavnagar:

  • Want your business to be the top-listed Advertising & Marketing Company?

Share