Sanatan Satya Samachar

Sanatan Satya Samachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sanatan Satya Samachar, Media Agency, Jamnagar.
(2)

સનાતન સત્ય સમાચાર માત્ર એક સમાચાર મંચ નથી, પરંતુ સત્ય, ન્યાય અને લોકોના હિત માટે સતત સંઘર્ષ કરતો અવાજ છે.

ખેડૂત, મજૂર, પશુપાલક, માછીમાર અને સામાન્ય લોકોની મૂળભૂત સમસ્યાઓ, લોકો પર થતા અન્યાય અને અત્યાચાર, તંત્રની લાપરવાહી અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો

27/05/2026

ગુજરાત હાઈકોર્ટે ટાટા કેમિકલ્સ સામે કડક વલણ અપનાવતા જામનગર મરીન સેન્ચ્યુરીને “કાળા રણ”માં ફેરવી નાખવાના ગંભીર નિરીક્ષણ કર્યા છે. 15 વર્ષથી વધુ સમય સુધી કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવાતું રહ્યું ત્યારે જવાબદાર તંત્ર અને નેતાઓ ક્યાં હતા એ સૌથી મોટો સવાલ છે. હવે કોર્ટના આદેશ બાદ ખરેખર કાર્યવાહી થશે કે ફરી બધું ફાઈલો સુધી જ સીમિત રહેશે? 17 જૂનની સુનાવણી પર આખા ગુજરાતની નજર છે.

રાજભા ગઢવીને મંજૂરી આપી તો અમને કેમ નહીં?' અમરેલી- જૂનાગઢના માલધારીઓએ સરકાર મોરચો માંડ્યો ; રાજાશાહી વખતના પુરાવા આપ્યા,...
27/05/2026

રાજભા ગઢવીને મંજૂરી આપી તો અમને કેમ નહીં?' અમરેલી- જૂનાગઢના માલધારીઓએ સરકાર મોરચો માંડ્યો ; રાજાશાહી વખતના પુરાવા આપ્યા, વનવિભાગના આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે

આ લડાઈ આજની નથી આ લડાઈ વર્ષોથી ચાલી આવે છે કે અમીરો માટે સરકારના તમામ દરવાજા ખુલા હોય છે અને ગરીબો માટે સરકારની એક બારી પણ ખુલ્લી રાખવામા આવતી નથી

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ. બીજી તરફ, માલધારી તરીકે મંજૂરી મેળવવા વર્ષોથી રાહ જોઈ રહેલા અમરેલી અને જૂનાગઢ જિલ્લાના માલધારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોતાની વર્ષો જૂની અરજીઓ નામંજૂર થવા પાછળ વનવિભાગની કિન્નાખોરી જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. નારાજ માલધારીઓએ હવે ગાંધીનગર સુધી રજૂઆતો કરીને ન્યાય મેળવવા લડત શરૂ કરી છે.

ગીરમાં વસવાટ કરવા માટે રાજભા ગઢવીના પિતાએ અગાઉ અરજી કરી હતી પણ તે નામંજૂર થઈ હતી. એ પછી મે મહિનાની 19મી તારીખે રાજભા ગઢવી ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઓફિસે પહોંચ્યા હતા, તેમની સાથે કીર્તિદાન ગઢવી અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ હતા. રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાનતા (ચારણ) દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંદાજીત 16 વર્ષ પહેલાં તેઓ વાંઢીયું (માલઢોર) લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારથી રજીસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેમનો રોજગારનો હક છીનવાઈ ગયો છે. આથી પાણીયા રેન્જના કરકડી નેસમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવે.

રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ કરશનભાઈ ચારણે 8 ઓગસ્ટ, 2023ના રોજ વન વિભાગને એક અરજી કરી હતી. તેમની રજૂઆત હતી કે આજથી અંદાજે 13 વર્ષ પહેલાં ગીરના જંગલમાં ઘાસની તંગી હતી. એટલે માટે તેઓ માલઢોર લઈને લીલાપાણી નેસ છોડીને બહાર જતા રહ્યા હતા. પરંતુ હવે ફરીથી લીલાપાણી નેસમાં પરત આવવા પરવાનગી મળવી જોઈએ.

માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે તેઓ રાજાશાહીના સમયથી, એટલે કે 1939થી માલધારી છે અને તેમની પાસે 1966 સુધીના કાયમી મસવાડી પાસના પુરાવા પણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ફોરેસ્ટ પાસેથી કોઈ જમીન કે મકાન લીધું નથી અને તેઓ કાયમી માલધારી છે.

તેમણે સરકારના 1970 પહેલાના પરિપત્રનો ઉલ્લેખ કર્યો, જે મુજબ એક જ નેહડા પર 3 વર્ષથી મસવાડી પાસ ધરાવતા માલધારીઓને મંજૂરી આપવાની જોગવાઈ છે. ગોલણભાઈએ આક્ષેપ કર્યો કે તેમની અરજીઓ કિનાખોરી રાખીને ફાઇલ કરી દેવાય છે, જ્યારે રાજભા ગઢવી જેવા સેલિબ્રિટીને ઝડપથી મંજૂરી મળી જાય છે

સામાન્ય માલધારીઓ પાસે પણ માલઢોર સહિતના તમામ પાકા પુરાવા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજભા ગઢવીએ જેટલા પુરાવા રજૂ કર્યા છે, તેટલા જ પુરાવા તેઓ પણ રજૂ કરવા તૈયાર છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ. ગઈકાલે કેટલાક માલધારીઓ ગાંધીનગર PCCF સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.

માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે, "અમે 3-4 વખત અરજીઓ કરી હતી અમારા ઝૂંપડા પણ તૈયાર છે પરંતુ અમારી અરજીનો કોઈ જવાબ નહિ. 10 વર્ષ પહેલા અમે સીટીમાં રહેતા હતા ત્યાંથી અમારા બા બીમાર હતા એટલે પીપળવા બોડરમા રહેતા હતા. પછી એક સાહેબ આવ્યા એણે ન જવા દીધા, પછી અમે નેહડે જવા માટે અરજીઓ કરી પણ કોઈ જવાબ આવ્યો નહિ. રાજભાને મંજૂરી મળી ગઈ, અમે માલધારી છીએ અમને કેમ નહિ? અમારી અરજી લે અને અમને નેહડે ફરી જવા દે તેવી માંગણી છે."

ગુજરાતના લોકસાહિત્યકાર રાજભા ગઢવીની અરજી બાદ નેસમાં મંજૂરી મળ્યા બાદ મીડિયા દ્વારા ધારી ગીર પૂર્વ ડિવિઝન DCF વિકાસ યાદવનો સંપર્ક કરતા કોઈ જવાબ અપાયો નહીં. માલધારીઓ સામે આવતા ફરીવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જવાબદારીમાંથી છટકવા માટે મૌન ધારણ કર્યું છે અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું છે.

ગુજરાતમાં અને ભારતમાં વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધાર...
27/05/2026

ગુજરાતમાં અને ભારતમાં વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની ટીમે કચ્છના દરિયામાં એક જહાજમાંથી 200 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શકમંદોને ઝડપી પાડ્યા છે.

ડ્રગ્સનો આ જથ્થો યુરોપથી લાવવામાં આવી રહ્યો હોવાની પ્રાથમિક વિગત મળી છે. જો કે, આ જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો અને કોણે મંગાવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર બાબતે ગુજરાત ATS બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી જાહેર કરી શકે છે.

“વારંવાર વિદેશમાંથી ગુજરાતના દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર ક્યારેય આ ડ્રગ્સ કારોબારના મુખ્ય માસ્ટરમાઈન્ડ સુધી પહોંચી શકશે? કારણ કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ મંગાવવા પાછળ ચોક્કસ કોઈ મોટી હસ્તી અને મોટું નેટવર્ક કામ કરતું હશે. અત્યાર સુધી ઘણી વખત જથ્થો ઝડપાયો છે, પરંતુ આ સમગ્ર કારોબારનો અસલી ચહેરો કોણ છે અને શું તંત્ર તેની સુધી પહોંચી શકશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.”

26/05/2026

સંજય આહિરનો એક #સંદેશ

જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ...
26/05/2026

જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવિણાબેન રુપડીયાને દંડક બનાવાયા છે.

26/05/2026

એક તરફ દેશના વડાપ્રધાન ઇટાલીની પ્રધાનમંત્રી Giorgia Meloni ને “મેલોડી” ગિફ્ટ આપી રાજકીય મિત્રતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ Jaisalmer જિલ્લામાંથી સામે આવેલી એક દર્દનાક અને હચમચાવી દેનારી ઘટનાએ ગૌ સંરક્ષણ અને સરકારી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.

22/05/2026

જામનગરમાં મોટી ખાવડી સ્થિત રીલાયન્સ કંપનીના કોન્ટ્રાકટરો સામે મજૂરો અને સ્થાનિક ખલાસીઓ ટ્રકના ક્લીનરો ) દ્વારા રોજગારી અને યોગ્ય મજૂરી માટે કરવામાં આવેલા આંદોલન બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. 12 કલાકની મહેનત બાદ માત્ર ₹21,000 જેટલું મેનતાણું મળતું હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ 3 આગેવાનો સામે ગંભીર કેસ નોંધાતા અનેક સવાલો ઉભા થયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ લડાઈ માત્ર રોજગારી અને હક માટે હતી, જ્યારે બીજી બાજુ છાપાઓ અને પોલીસ ફરિયાદોમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સત્ય શું છે તે તપાસ અને કોર્ટ પ્રક્રિયા બાદ જ બહાર આવશે, પરંતુ હાલ ગામડાના લોકોમાં ડર અને મજૂરોમાં રોષ બંને જોવા મળી રહ્યા છે. ✊⚖️ આ કેશ ને વધુ મજબૂત બનાવવા આવી સ્થિતિ જામનગરને વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતા “સ્ટેટ ઓફ હોર્મુઝ” જેવી સ્થિતિ તરફ ધકેલી શકે તેવી ગણાવી કેશ વધુ મજબૂત બનાવવાની કોશિશ પણ થઈ રહી છે

19/05/2026

નંદુમાં માટે ન્યાયનું પહેલું પગથિયું ....આહિર સમાજ દ્વારા કર્યો ખૂબ મોટો નિર્ણય ....

17/05/2026

#નંદુમાં

16/05/2026

હું આહીર સમાજની દીકરી છુ પ્લોટ મકાન કે પૈસા નથી જોતાં મને ન્યાય જોઇયે છે
જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે મોટો ખુલાસો
40 વર્ષથી રહેતા સિનિયર સિટિઝન દંપતી સાથે થયેલા વર્તન પર સવાલ
JMC દ્વારા કાયદાકીય પ્રક્રિયા વગર કાર્યવાહી થઈ
“આ જમીન JMCની નહીં, કલેક્ટર વિભાગની” એવો દાવો
પ્લોટ વેચનાર બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માંગ
ઓફ ડ્રેસ પોલીસ દ્વારા મહિલાને ટીંગાટોળી કરવાનો વિરોધ
માનવ અધિકાર અને સિનિયર સિટિઝન સન્માન મુદ્દે કાયદાકીય લડતની તૈયારી
ખોટી માહિતી ફેલાવનાર મીડિયા ચેનલો સામે પણ કાર્યવાહી કરવાની માંગ
નંદુબેન માટે સમાજ અને સંસ્થાઓનો વધતો સમર્થન
હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડત લઈ જવાની તૈયારી
સરકારી ખરાબામાં રહેતા લોકો માટે મહત્વપૂર્ણ કાયદાકીય માર્ગદર્શન
“મકાન રેગ્યુલરાઇઝ” માટે અરજી કરવાની અપીલ
“આ લડાઈ માત્ર એક પરિવાર માટે નહીં, તમામ સમાજની મહિલાઓની ઇજ્જત માટેની લડાઈ ”

15/05/2026

#આહિર_સમાજના_નંદુમાં માટે આગળ આવ્યા #આહિર_સમાજના_યુવાનો અને #તમામ_સમાજના_લોકો કોઈ #પ્લોટ આપવા તૈયાર તો કોઈ #મકાન આપવા થયા તૈયાર...
સાથે જવાબદાર અધિકારી JMC ના કમિશ્નર પર કાર્યવાહીની સાંસદ,ધારાસભ્યો અને ગુજરાત સરકાર પાસે અમારી માંગ...
જય દ્વારિકાધીશ 🚩🚩🚩

Address

Jamnagar

Website

https://www.youtube.com/@sanatansatyasamachar./featured, http:/

Alerts

Be the first to know and let us send you an email when Sanatan Satya Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanatan Satya Samachar:

Share

Category