17/10/2021
આંદોલન:20 ઓકટોબરે પીજીવીસીએલના 1,000 કર્મીઓ કરશે આંદોલન
20 ઓકટોબરે પીજીવીસીએલના 1,000 કર્મી, અધિકારીઓ આંદોલન કરશે તેવી પીજીવીસીએલને આખરી નોટીસ પાઠવાઇ છે.
આ અંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જૂનાગઢના વર્તુળ મંત્રી ડી.ડી. વીછીએ જણાવ્યું છે કે, વર્ગ 3 અને 4ના કર્મીની જુનિયર આસિસ્ટન્ટ તરીકે ભરતી કરવી, ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મીના વારસને નોકરી આપવી,કોરોનામાં થયેલ મોતમાં 25,00,000નું ચૂકવણું, કચેરીની બદલીમાં અપાયેલી નવી સત્તા રદ કરવી, નનામી ફરિયાદમાં કાર્યવાહી બંધ કરવી સહિતના પ્રશ્નોની લાંબા સમયથી રજૂઆતો કરવા છત્તાં પીજીવીસીએલના વિજકર્મીઓના પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટરને આંદોલનની અંતિમ નોટીસ આપવામાં આવી છે. નોટીસમાં જણાવાયું છે કે, અગાઉ ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ કરવાની પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા ખાત્રી અપાઇ હતી જેથી યુનિયન દ્વારા લડત મુલત્વી રખાઇ હતી.
ફેસબૂક ગ્રૃપ કેશોદ https://www.facebook.com/groups/keshodnewsjnd