08/11/2022
અકસ્માતો અટકાવવા માટે કરાયો પ્રયાસ:કેશોદના અજાબ પાસે પુલ સંરક્ષણ દિવાલ તૂટતા રેતીની બોરીઓ મૂકી દેવામાં આવી
સીટી ઇન્ફો વોટ્સએપ ગ્રૃપમાં જોઇન થવા નીચેની આપેલ લીંક ખોલો
https://chat.whatsapp.com/CPH3cFubVQ3Eeu9mTDymm5
ગામલોકો દ્વારા અકસ્માતો અટકાવવા માટે કરાયો પ્રયાસ, છાશવારે બની રહ્યાં છે બનાવો
કેશોદ થી અજાબ જતાં ગામ નજીક રોડ પર આવેલ પુલની સરંક્ષણ દિવાલ તૂટી પડતાં વારંવાર અકસ્માત સર્જાય છે અને સ્પિડમાં જતાં વાહનો ચાલકના સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતાં વોકળા ગબડી પડે છે. આ રોડ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગની કચેરી હેઠળ આવતો હોય ગામના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા વારંવાર સંરક્ષણ દિવાલ બનાવવા રજૂઆતો કરવામાં આવી રહી છે.
છતાં કચેરી દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ પુલ પર તાજેતરમાં જુદી જુદી 3 ઘટનામાં 2 બાઈક અને એક કાર ખાડામાં ગબડી જઈ પડી હતી. જેમાં બાઈક ની 2 ઘટનામાં બંનેના મોત નિપજ્યાં હતા. જયારે કાર પલ્ટી મારવાની ઘટનામાં નસીબ જોગે આસપાસના ખેડૂતોએ પહોંચતાં કારના દરવાજા તોડી ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો.
સદનસીબે તેમનો બચાવ થયો હતો એવી જ રીતે અગાઉ પણ અનેક વખત અકસ્માત સર્જાયાં છે જેને લઈ વોકળામાં પડતાં વાહનોને બચાવવા ગામલોકો દ્વારા પુલની તૂટેલી સંરક્ષણ દિવાલની જગ્યાએ રેતી ભરેલી પ્લાસ્ટીક બોરીઓ રાખવામાં આવી છે. આ માટે ગામલોકો દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવા માંગ કરાઈ રહી છે.
શું કહે છે અધિકારી ?
કેશોદ આર એન્ડ બી નાયબ કાર્યપાલક ઇજનેર નાઘેરાએ બબ્બે વખત દરખાસ્ત મોકલી હોવાનું કહી સરપંચના સંપર્કમાં હોય વહેલાંમાં વહેલું પુલનું કામ થાય તેવા પ્રયત્નો ચાલું હોવાનું જણાવ્યું હતું
આ સમાચાર સીટી ઇન્ફો વોટ્સએપ ગ્રૃપ પર થી મળેલ છે