ZSTV

ZSTV ZSTV NEWS


Gujarati News Channel GUJARATI NEWS

09/08/2026

PM મોદીએ IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કેમ કહ્યું, ‘હું બાબા બાગેશ્વર તો નથી પણ…’

PM નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમની નવી શરૂઆત બદલ અભિનંદન આપ્યા હતા અને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. PM નરેન્દ્ર મોદીએ મજાકમાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આજે દીક્ષાંત સમારોહમાં બધા હાજર છે, ત્યારે તેઓ તેમના ભવિષ્ય વિશે વિચારી રહ્યા હશે. હસતાં હસતાં તેમણે કહ્યું હતું કે, 'હું બાબા બાગેશ્વર તો નથી, પરંતુ કંઈક તો ચાલી રહ્યું હશે.' PM મોદીએ કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીનો આવતીકાલનો દ્રષ્ટિકોણ અલગ હોય છે....

09/08/2026

ભારતમાં પણ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાની તૈયારી! જાણો સંસદમાં રજૂ કરાયેલા બિલની મુખ્ય વાતો

વિશ્વભરના ઘણા દેશોએ 13 થી 16 વર્ષની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને એક ઉદાહરણ રજૂ કર્યું છે. બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ભારત હવે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, જોકે માતા-પિતાની સંમતિ બાદ જ બાળકો ઓનલાઈન એકાઉન્ટ્સ ઍક્સેસ કરી શકશે. સંસદના ચોમાસા સત્ર દરમિયાન આ અંગેનું એક બિલ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેને 'સેફગાર્ડિંગ હેલ્ધી ઈન્ટરનેટ એન્વાયર્નમેન્ટ ફોર લિટલ ડિજિટલ નેટિવ્સ (SHIELD) બિલ, 2025 નામ આપવામાં આવ્યું છે' -....

09/08/2026

રશિયન ઓઈલ ખરીદતા ભારત સહિત 5 દેશ પર 100% ટેરિફ લાદવાનું બિલ અમેરિકન સેનેટે પાસ કર્યું

અમેરિકી સેનેટે રશિયન તેલ અને ગેસ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપતો એક મહત્વપૂર્ણ ખરડો પસાર કર્યો છે. આ ખરડામાં જે પાંચ મુખ્ય દેશોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે તેમાં ભારતનું નામ પણ સામેલ છે. સેનેટમાં 86-11ની જંગી બહુમતીથી પસાર થયેલા આ ખરડાનું નામ 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026' રાખવામાં આવ્યું છે. હાલ આ ખરડો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (અમેરિકી નીચલા ગૃહ)ની વિચારણા હેઠળ છે, જેની બેઠક 31 ઓગસ્ટે ફરી મળવાની છે....

09/08/2026

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ…

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ કારણોસર વાયરલ થઈ. ચાહકોએ પોસ્ટમાં અસંખ્ય જોડણી અને વ્યાકરણની ભૂલો તરફ ધ્યાન દોર્યું. કેટલાક વપરાશકર્તાઓએ રમુજી ટિપ્પણીઓ કરી, જ્યારે અન્ય લોકોએ શંકા વ્યક્ત કરી કે, પંતનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ દરમિયાન, કેટલાક ચાહકોએ સમર્થન પણ વ્યક્ત કર્યું. ભારતીય ક્રિકેટર રિષભ પંત દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનો વિષય બની છે....

09/08/2026

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસિસ સંચાલકનો આરોપ- ‘ભરતીમાં OBCને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ મળે છે, કોંગ્રેસ નેતાએ પણ…

છેલ્લા 25 વર્ષથી ક્લાસ-1 અને ક્લાસ-2ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા ક્લાસિસના સંચાલક ડૉ. બી.સી.રાઠોડ અને કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ પણ GPSCની ભરતી પ્રક્રિયાને લઇને મોટો દાવો કર્યો છે, જેને કારણે GPSCની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચેરમેન હસમુખ પટેલ સામે એકતરફી નિર્ણયો લઈ OBC સમાજને અન્યાય કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ કહ્યું કે GPSCની લેખિત પરીક્ષામાં ટોચના માર્ક્સ મેળવનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે....

09/08/2026

વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

તા. ૯ ઓગસ્ટ. વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વભરમાં મૂળ નિવાસીઓના અધિકારો, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવામાં આવે છે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના વિશાળ ટ્રાઇબલ બેલ્ટમાં વસતા આદિવાસી પરિવારોને કેન્દ્રમાં રાખીને આ દિવસની વાત કરીએ તો તે માત્ર ઉજવણી નહીં પરંતુ આપણા ગુજરાતની વનવાસી જીવનના અસ્તિત્વના મૂળની યાદ અપાવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૪માં ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો. આ તારીખ ૧૯૮૨માં જિનીવામાં યોજાયેલી આદિવાસી વસ્તી અંગેની કાર્યકારીણીની પ્રથમ બેઠકની યાદમાં નક્કી કરવામાં આવી હતી....

09/08/2026

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા તાજેતરના દરોડામાં બહાર આવેલા ખુલાસાઓએ બધાને ચોંકાવી દીધા છે. વજન વધારવા માટે લોટમાં કેન્સર પેદા કરનાર ટેલ્કમ પાવડર ભેળવીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અન્યત્ર, રાસાયણિક રીતે તૈયાર નકલી પનીર અને શંકાસ્પદ ઘીનો પુરવઠો કોઈ પણ જાતના ડર વગર કરવામાં આવી રહ્યો છે....

09/08/2026

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને…

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તેમની સાથે પ્રિયંકા ગાંધીની પુત્રી મિરાયા પણ ઉપસ્થિત રહી હતી. સાંજે 6 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમ બાદમાં 7 વાગ્યે શરૂ થયો હતો, જેમાં 23 જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના દાવો અનુસાર આ કાર્યક્રમ માટે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું....

09/08/2026

શું છે ‘ગોબરધન’ યોજના? જેના માટે 23,731 કરોડ રૂપિયા ખર્ચ કરાશે

મોદી મંત્રીમંડળે આજે ₹32,701 કરોડના કુલ ખર્ચ સાથે બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ગોબરધન યોજના હેઠળ બાયોગેસ ઉત્પાદન અને વિતરણને વેગ આપવા માટે ₹23,731 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કાર્બનિક કચરા અને પશુઓના છાણમાંથી બાયોગેસ/CBGનું ઉત્પાદન વધારવાનો અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે. આટલું જ નહીં, ₹8,970 કરોડના ખર્ચે બાઇહાટા ચરિયાલીથી આસામના તેઝપુર સુધી 4-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે....

09/08/2026

જન્મની નોંધણી ન કરાવી હોય તો કરાવી લેજો, કડક કાયદો આવી રહ્યો છે

લોકસભામાં 29 જુલાઇએ રજિસ્ટ્રેશન ઓફ બર્થસ એન્ડ ડેથ્સ રજિસ્ટ્રેશન (અમેડમેન્ટ) 2026 પાસ થઇ ગયું છે. દેશમાં ઘણા લોકો વર્ષો સુધી જન્મ અને મરણની નોંધણી કરાવતા નથી જેને કારણે નકલી દસ્તાવેજો, સરકારી યોજનાઓમાં ગેર રીતી અને ઓળખ સંબંધી સમસ્યાઓ ઉભી થતી હતી. અગાઉના કાયદામાં 1 વર્ષથી વધારે મોડી નોંધણી પર મેજીસ્ટ્રેટની મંજૂરી લેવાતી હતી હવે નવા બિલના સુધારામાં આ મર્યાદા વધારીને 2 વર્ષ કરવામાં આવી પરંતુ મંજૂરી એક માત્ર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની મંજૂરી ફરજીયાત લેવી પડશે....

Address

Zstv News Prantij 9327646500
Prantij
383205

Alerts

Be the first to know and let us send you an email when ZSTV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ZSTV:

Shortcuts

Share