Soham24 Newspaper

Soham24 Newspaper New App Installs invited to reward


https://g.co/payinvite/d07mb1a

Soham24 , દરેક પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.
અભિનંદન, જાહેર નોટીસ, ટચુકડી જાહેરાત, બેસણા - શ્રદ્ધાંજલિ, (પ્રોપર્ટી ભાડે-લે-વેચ) કોર્ટ નોટીસ, શેર લોસ્ટ નોટિસ, જોઈએ છે, કલાસીફાઈડ ડીસ્પે જાહેરાત, આપની જાહેરાત બુક કરાવો....

06/06/2026

*પશુપાલન વિશેષ*

*સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ: મહેસૂલ વિભાગના હકારાત્મક અભિગમથી પશુ ચિકિત્સા કેન્દ્રો માટે જમીન ફાળવણી ઝડપી બની*
૦૦૦૦૦
*જિલ્લામાં હાલ ૩૪ પશુ દવાખાના અને ૧૭ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અવિરતપણે પશુઓની સેવામાં કાર્યરત*
૦૦૦૦૦
*ગત વર્ષે જિલ્લામાં ૧,૩૨,૨૭૦ પશુઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવાઈ*
૦૦૦૦૦
*પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ ૧૪૭૨ પશુપાલકોને રૂ. ૭૩ લાખની સહાય ચૂકવાઈ*
૦૦૦૦૦
*પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો માટે પ્રત્યેક સંસ્થા દીઠ ૬૦૦ ચોરસ મીટર જમીન ફાળવવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ*
૦૦૦૦૦

*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:*

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની સુખાકારી માટે સતત પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના માર્�

05/06/2026

*બાગાયત વિશેષ*

*સુરેન્દ્રનગર જિલ્લો બન્યો બાગાયત ક્ષેત્રનું નવું હબ: છેલ્લા ૧૦ વર્ષમાં બાગાયતી પાકોનું વાવેતર ૧.૫૦ લાખ હેક્ટરને પાર*
૦૦૦૦૦
*રાજ્ય સરકારના પ્રોત્સાહન અને અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી સુરેન્દ્રનગરમાં સર્જાઈ 'ગ્રીન રિવોલ્યુશન'*
૦૦૦૦૦

*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:*

સુરેન્દ્રનગર જિલ્લો, જે એક સમયે માત્ર સૂકી ખેતી અને કપાસ તેમજ જીરા જેવા પરંપરાગત પાકોના વાવેતર માટે જાણીતો હતો, તે આજે ગુજરાત સરકારની લોકાભિમુખ નીતિઓને કારણે બાગાયત ક્ષેત્રે રાજ્યનું એક નવું હબ બનીને ઉભર્યો છે. ગુજરાત સરકારના બાગાયત ખાતાના સુરેન્દ્રનગર વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવેલા સચોટ માર્ગદર્શન અને આધુનિક પ્રોત્સાહક યોજનાઓને પરિણામે જિલ્લામાં બાગાયતી પાકોના વાવેતરમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. છેલ્લા ૧૦ વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લામાં બાગાયતી પાકોનું કુલ વાવેતર ૧,૨૮,૧૬૧ હેક્ટરથી નોંધપાત્ર રીતે વધીને ૧,૫૦,૯૦૨ હેક્ટર સુધી પહોંચી ગયું છ�

02/06/2026

*આરોગ્ય વિશેષ*

*રાજ્ય સરકારની કટિબદ્ધતા, સુરેન્દ્રનગર જિલ્લામાં છેવાડાના માનવી સુધી પહોંચી આરોગ્ય સુવિધાઓ*
************
*નવા PHC અને સબ સેન્ટરોના નિર્માણથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય માળખામાં નોંધપાત્ર વધારો*
************
*જિલ્લાના ૨૭ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ એનાયત*
*************
*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:-*

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોની સુખાકારી માટે આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે પૂરી પાડવા સઘન આયોજન અને કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હાલમાં જિલ્લામાં કુલ ૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું બાંધકામ પ્રગતિમાં છે, જેમાંથી ૨ PHCનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, ૨૫ સબ સેન્ટરોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અન્ય ૪૬ સબ સેન્ટરોનું કાર્ય ચાલુ છે, જે આગામી બે મહિનામાં પૂર્ણ થવા

02/06/2026

*સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ*
************
*અંતરિયાળ વિસ્તારોમાં ૯૭માંથી ૯૩ શાળાઓને જમીન ફાળવણીની કામગીરી પૂર્ણ*
**********
*ગ્રાન્ટેડ શાળાઓમાં ડિજિટલ બોર્ડ, કમ્પ્યુટર લેબ અને અન્ય આધુનિક સુવિધાઓથી સજ્જ શિક્ષણ વ્યવસ્થા*
***********

*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:-*

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શૈક્ષણિક માળખાને વધુ મજબૂત કરવા માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં મંજૂર થયેલી કુલ ૯૭ શાળાઓ પૈકી ૯૩ શાળાઓને જમીન ફાળવણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રજાલક્ષી અભિગમ દાખવીને, ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં આવેલી શાળાઓને પ્રાથમિકતાના ધોરણે જમીન ઉપલબ્ધ કરાવાઈ છે.

આ અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે. એન. બારોટે જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્�

C.U.SHAH મેડિકલ ટાઉનહોલ ખાતે જી. આર. સી.એ. સુરેન્દ્રનગર દ્વારા  કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન થયું હતું.. જેમાં ...
02/06/2026

C.U.SHAH મેડિકલ ટાઉનહોલ ખાતે જી. આર. સી.એ. સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન થયું હતું.. જેમાં EX.એડીશનલ ડીજીપી અભયસિંહ ચુડાસમા સાહેબ, ડી.વાય.એસ.પી. તપનસિંહ ડોડીયા, જિલ્લા શિક્ષણ અધિકારી ભરતસિંહ વાઢેર, પી.એસ.આઇ. નયનાબા પરમાર તથા વિક્રમસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું... સેમિનારમાં ધોરણ 10/12 પછી શું ? કોલેજની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નિષ્ણાતો દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું... આ કાર્યક્રમ દરમિયાન જી.આર.સી.એ. સંસ્થા દ્વારા સંપાદિત પુસ્તક 'સત્યમ પરમ ધીમહિ' નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું... જે પુસ્તકમાં સત્યનારાયણ કથાની પૂજાવિધિનું લેખનકાર્ય વઢવાણના વિદ્વાન પંડિત બંસલકુમાર જાની એ કરેલ છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં સત્ય વિષયક મહાનુભાવોના લેખો, મધ્યભાગમાં પૂજા વિધિ તથા અંતિમ ભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે..

01/06/2026

*નાગરિકોને નિયમિત અને વ્યવસ્થિત પાણી પુરવઠો યથાવત્ રાખવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્ર સક્રિય*

*સુરેન્દ્રનગર મહાનગરપાલિકા*

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના તમામ નાગરિકોને વ્યવસ્થિત, સતત અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે મહાનગરપાલિકા તંત્ર સતત કાર્યશીલ છે. આ અંતર્ગત આજે ઢાંકી પંપીંગ સ્ટેશનથી ધોળીધજા ડેમ સુધીની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.

આ પાણીની છોડવણીથી ધોળીધજા ડેમની જળસપાટીમાં વધારો થશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો પુરવઠો વધુ સુગમ અને નિયમિત બનશે.

ધોળીધજા ડેમમાં પાણીની આવક વધતાં ૬ દરવાજા પૈકી ૪ દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. જેના કારણે લગભગ ૧૭૫ ક્યુસેક પાણીની આવક થવાની અપેક્ષા છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તંત્ર તરફથી નાગરિકોને વિનંતી છે કે પાણીનો બચાવ કરવો, તેનો યોગ્ય ઉપયોગ કરવો અને કોઈપણ પ્રકારની વ્યર્થ વપરાશ અટકાવવો.

31/05/2026
29/05/2026

*નવનિયુક્ત મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી નિખિલભાઈ ચાંપાનેરીએ સ્થળ મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી*
-+-+-+-

*સુરેન્દ્રનગર મહાનગરપાલિકા*

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિખિલભાઈ ચાંપાનેરીએ આજે પદ સંભાળ્યાના પ્રથમ જ દિવસે મહાનગરપાલિકા વિસ્તારમાં ઉત્તર ઝોનમાં નવનિર્માણ પામનાર શાક માર્કેટ તથા ધોળીધજા ડેમની સ્થળ મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ પ્રકારની પાણીની અછત ન વર્તાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ધોળીધજા ડેમ ખાતે મોટર તથા પાણીના વાલ્વ ફિટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે મેયરશ્રીએ ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું.

વધુમાં અંદાજે રૂ. �

29/05/2026

સિંહોમાં સંક્રમણ અંગે માન. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,

27/05/2026

*સાયલા ખાતે ‘આત્મા’ પ્રોજેક્ટ અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો: ખેડૂતોને ‘ઘનજીવામૃત’ અને માર્કેટિંગ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન*
૦૦૦૦૦૦
*ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર મજબૂત વિકલ્પ; મિશ્ર ખેતી અપનાવતા નાના ખેડૂતોને NMSA-RAD યોજના હેઠળ રૂ. ૩૦,૦૦૦ સુધીની સહાય મળશે - આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરત પટેલ*
૦૦૦૦૦૦


*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:*

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી 'આત્મા' - ATMA અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે ‘આત્મા’ પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ભરત પટેલ દ્વારા તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું વાસ્તવિક મહત્વ સમજાવવાની સાથે તેના વૈજ્ઞાનિક અને વ્યવહારિક પાસાઓ વિશે અત્યંત વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન પૂરું �

Address

Kuntuna Derasar Chowk
Surendranagar District
363001

Opening Hours

Monday 9am - 6am
Tuesday 9am - 6am
Wednesday 9am - 6am
Thursday 9am - 6am
Friday 9am - 6am
Saturday 9am - 6am
Sunday 9:30am - 6am

Telephone

+919033300345

Alerts

Be the first to know and let us send you an email when Soham24 Newspaper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Soham24 Newspaper:

Share